કોમેડીયન સુગંધા મિશ્રા અને સંકેત ભોંસલે એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. 26 એપ્રિલે બંનેએ જલંધરમાં લગ્ન કરી લીધા છે અને તેની તસવીરો સામે આવી છે.
સુગંધાની મિત્ર અને પ્રોડ્યુસર પ્રીતિ સિમોન્સે લગ્નની તસવીરો પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લગ્નમાં ખુબ ઓછા લોકોને બોલાવવામાં આવ્યા હતા. બંનેના લગ્ન પરિવારની હાજરીમાં સાદાઇથી કરવામાં આવ્યા હતા.
કોમેડીની દુનિયાના કલાકાર સુગંધા મિશ્રા અને સંકેત ભોંસલેના લગ્ન પર લોકોની નજર હતી. લગ્નમાં માત્ર પરિવારના લોકો જ હાજર હતા. સુગંધાના પરિવાર તરફથી સોશ્યલ મીડિયો પર પોસ્ટ શેર કરીને વાતની જાણ કરવામાં આવી હતી અને કોરોનાના કારણે મહેમાનોને ન બોલાવી શકવાથી દુખ પણ હતુ. સુગંધાની મિત્ર પ્રીતિએ સ્ટોરી શેર કરીને લગ્નની એક ઝલક બતાવી હતી.
સુગંધાની લાઇફનો મિસ્ટર રાઇટ સંકેત ભોંસલે છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મશહૂર સિંગર લતા મંગેશકરના ગીતોની મિમિક્રી કરનાર સુગંધાને ખુબ પોપ્યુલારીટી મળી છે. તેની સાથે સંકેતને પણ સંજય દત્તની કોમેડી કરીને ખુબ પોપ્યુલારીટી મળી છે.
ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી તસવીર
સુગંધા મિશ્રાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સંકેત સાથે તસવીર શૅર કરી છે અને સાથે જ પોતાના લગ્નની તારીખ પણ શૅર કરી છે. ફોટોમાં સુગંધા અને સંકેત ખુબ સારા લાગી રહ્યા છે. બેહદ રોમાન્ટિક અંદાજમાં પોઝ આપીને સુગંધા અને સંકેતે ફોટોશૂટ કરાવ્યુ છે. સુગંધાએ લખ્યુ છે કાઉન્ટડાઉન બિગીન્સ અને સાથે જ 26.4.2021 લખ્યુ છે, આ પોસ્ટ પર ફેન્સ અને સેલેબ્સ તેને અભિનંદન પાઠવી રહ્યાં છે.
સુગંધા અને સંકેત જલંધરમાં 26 એપ્રિલે લગ્ન કરી રહ્યાં છે અને ફેમસ કોમેડીયનનું ઘર પણ જલંધરમાં જ છે. મળતી માહીતી અનુસાર લગ્નમાં બંનેના પરિવાર અને નજીકના લોકો જ હશે. કોરોના વાયરસના કારણે વધારે લોકોને ઇન્વાઇટ નથી કર્યા.
તમને જણાવી દઈએ કે કોમેડિયન ગયેલી સુગંધા મિશ્રાને સા રે ગા મા પા બાદ ઓળખાણની જરૂર નથી. સંકેત ભોંસલેએ 'ધ કપિલ શર્મા શો'માં સંજય દત્તની ભૂમિકા ભજવી હતી, ત્યારે સુગંધા મિશ્રા ઘણા પાત્રોમાં જોવા મળી હતી. કપિલના શો સિવાય સંકેત ભોંસલે 'બાબા કી ચોકી'નો હોસ્ટ રહી ચૂક્યો છે અને સુનીલ ગ્રોવરના શો' ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન'માં પણ જોવા મળ્યો હતો.