નાનાં બાળકોથી લઇને મોટા લોકોમાં માથાનો દુખાવો સામાન્ય બાબત બની ચૂકી છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે ઘરેલુ નુસખા અપનાવી શકો છો.
માથાનો દુખાવો સામાન્ય બાબત બની ચૂકી છે.
માથાનો દુખાવો મોટી બીમારીનું કારણ પણ બની શકે છે,
ઘરેલુ નુસખા અપનાવીને દુખાવાથી રાહત મેળવો.
આજના આધુનિક સમયમાં માથાનો દુખાવો સામાન્ય બાબત બની ચૂકી છે. નાનાં બાળકોથી લઇને મોટા લોકોમાં આ દુખાવો થતો હોય છે. દરેક વ્યક્તિ કામના બોજ કે અન્ય સમસ્યાઓના કારણે પરેશાન છે. માથાના દુખાવાનાં ઘણાં કારણ હોઇ શકે છે, જેમ કે તણાવ, માઇગ્રેન કે પછી ઊંઘ પૂરી ન થવી. આવા સંજોગોમાં લોકો પેઇન કિલરનો સહારો લે છે, પરંતુ ઘણી વાર દવાઓની સાઇડ ઇફેક્ટ્સ પણ થાય છે, તો તેનાથી બચવા તમે ઘરેલુ નુસખા અપનાવી શકો છો.
સૌથી પહેલાં દુખાવાના કારણ સુધી પહોંચો
સામાન્ય રીતે ઊંઘ પૂરી ન થવાના કારણે, દાંતમાં દુખાવો, થાક, ખોટી દવા લેવી, આંખો નબળી પડવી આ કારણો હોઇ શકે છે. આ ઉપરાંત ચિંતા, પેટમાં ગેસ થવો, અનિયમિત જીવનશૈલી, ખાણી-પીણીની આદતો પણ માથાના દુખાવાનું કારણ છે. માથાના દુખાવાનું કારણ બદલાતી સિઝન પણ હોઇ શકે છે. કેટલાક લોકોને સિઝન બદલાવવાના કારણે પણ માથાના દુખાવાની સમસ્યા થાય છે. જો યોગ્ય સમયે ડોક્ટરની સલાહ લેવામાં ન આવે તો માથાનો દુખાવો કોઇ મોટી બીમારીનું કારણ પણ બની શકે છે, જેમ કે માઇગ્રેન કે બ્રેઇન ટ્યૂમર.
રામબાણ સમાન છે આ ઘરેલુ નુસખા
ઘણી વાર શરીરમાં પાણીની કમીના કારણે પણ માથાનો દુખાવો થાય છે. કોઇ પણ હાલતમાં શરીરમાં પાણી ઘટવા ન દો. દિવસમાં ઓછામાં ઓછા 8 થી 9 ગ્લાસ પાણી અચૂકથી પીવો. સાથે રૂટિનમાં નારિયેળ પાણી અને જ્યૂસ પણ સામેલ કરો.
માથાનો દુખાવો થતાં આપણે ચા પીવા લાગીએ છીએ. આવા સંજોગોમાં ગ્રીન ટી પીવી સૌથી ફાયદાકારક છે, તેમાં રહેલાં એિવન્ટઓક્સિડન્ટ દુખાવાને ઘટાડે છે.
વિનેગર એક ઔષધિ છે, તેનો ઉપયોગ પેટના દુખાવા કે માથાના દુખાવા માટે કરવામાં આવે છે. ગરમ પાણીમાં એક ચમચી વિનેગર મિક્સ કરો. તેને પીને થોડો સમય સૂઇ જાઓ. માથાનો દુખાવો મટી જશે.
તમે ઇચ્છો તો નેચરલ કાઢો બનાવીને પણ પી શકો છો, તેનાથી માથાનો દુખાવો દૂર થઇ જશે. કાઢો બનાવો ત્યારે તેમાં તજ, મરી પણ નાખો, તેમાં ગોળ કે મધ પણ મિક્સ કરો.
માથાનો દુખાવો હોય ત્યારે લવિંગના તેલથી મસાજ કરવાથી પણ ફાયદો થશે. લવિંગનું તેલ ન હોય તો તેનો ધુમાડો પણ લઇ શકો છો, તેનાથી પણ રાહત થશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે, VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુ માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી.