ડાયાબિટીસ, કેન્સર-થાઈરૉઈડ હોવા છતાં કોરોનાને હરાવનાર 77 વર્ષના દાદીએ જે કહ્યું તે જાણીને હિંમતથી ભરાઈ જશો
મક્કમ મનોબળે કોરોનાને હરાવ્યો
કેન્સર,ડાયાબીટીસ,થાઈરોઈડથી પીડાય છે વત્સલાબેન
14 દિવસ બાદ કોરોના પર વિજય મેળવી ઘરે પાછા ફર્યા
કહેવાય છે ને મક્કમ મનના માનવીને હિમાલય પણ નથી નડતો..વત્સલાબેન પણ મન મક્કમ રાખી કોરોનાને માત આપી ઘરે પાછા ફર્યા છે, કોરોના થયો છે એવું સાંભળતા કેટલાક લોકોના હોશ ઉડી જતા હોય છે પરંતુ જે લોકોં મક્કમ હોય છે કે કોરોના તેઓનું કાઈ બગાડી શકે નહી એ લોકો સંપૂર્ણ સ્વસ્થ્ય થઈ પાછા ફરતા હોય છે એવું જ બન્યું છે વડોદરામાં ન્યુ VIP વિસ્તારમાં રહેતા 77 વર્ષના વત્સલાબેન વસાવા સાથે, તેઓ કેન્સર, ડાયાબીટીસ અને થાઈરોઈડની બિમારીથી પીડાતા હોવા છતા તેઓએ કોરોનાને માત આપી કોરોનો પર વિજય મેળવ્યો છે.
મન મક્કમ રાખી કોરોનાને હરાવ્યો
નિષ્ણાંતો એવું માને છે કે જે લોકો ગંભીર બિમારીથી પીડાતા હોય તે લોકો માટે કોરોના સંકટ સમાન બનતો હોય છે, એવામાં પણ જો ડાયાબિટીસ,કેન્સર, થાઈરૉઈડ હોય તો કોરોના વધુ ઘાતક બને છે પરતું આ ત્રણ બિમારીઓ એકસાથે વત્સલાબેનને હોવા છતા તેઓએ કોરોનાને હરાવ્યો છે. વત્સલાબેનને 12 એપ્રિલે જ્યારે ખબર પડી કે તે કોરોનાથી સંક્રમિત થયા છે અને કોરોનાના લક્ષણો ધરાવે છે ત્યારે અંદરથી મનોબળ ટૂટી ગયું હતું કારણ કે તેમને ખબર હતી કે તેઓ ગંભીર બિમારીથી પીડાય છે અને તેના સામે ઝઝુમી રહ્યા છે, પરતું ગોત્રી હોસ્પિટલામાં દાખલ થતાની સાથે જ તેમણે મક્કમ મને નક્કી કર્યું કે મારે કોરોના પર વિજય મેળવવો છે કોરોનાને માત આપવી છે, મારે જીવન જીવવું છે, તે પછી હોસ્પિટલમાં સારવારનો દોર શરૂ થયો અને હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર બાદ તેઓ 14 દિવસે ઘરે પરત ફર્યા.
વત્સલાબેને કોરોનાને હંફાવ્યો
વત્સલાબેન કોરોના સંક્રમણમાંથી સંપૂર્ણ મુક્ત થયા બાદ તેઓ જણાવે છે કે કોરોનામાં મન મક્કમ અને મનોબળ મજબૂત રાખવું ખૂબ જરૂરી છે, વત્સલાબેને ગોત્રી હોસ્પિટલના તમામ સ્ટાફનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આ સ્ટાફના કારણે જ નવું જીવન મળ્યું છે, કોરોના સંક્રમણથી છુટકારો અપાવવા આ હોસ્પિટલના સ્ટાફે ખૂબ જ મહેનત છે અને મારી કાળજી રાખી છે.