પાટણ: વારાહીમાં મુસ્લિમો દ્વારા બ્રાહ્મણો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જુદા-જુદા ધર્મના બે જુથ વચ્ચે થેયલી અથડામણમાં એક પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે પીડિત પરિવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી. પરિવારજનોએ હુમલાખોરો સામે સખત કાર્યવાહી કરવાની માગ કરી હતી. જો કાર્યવાહી નહીં થાય તો હીજરત કરવાની ચીમકી આપી હતી. જેને લઈને નાયબ મુખ્યમંત્રીએ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.
મળતી માહિતી અનુસાર નવરાત્રી દરમિયાન બ્રાહ્મણો દ્વારા જય શ્રી રામનો નારો લગાવાયો હતો. ત્યારબાદથી મુસ્લીમો દ્વારા બ્રાહ્મણોને હેરાન કરવામાં આવતા હતા. સમગ્ર મામલો ઉગ્ર બનતા ગામના મુસ્લિમો દ્વારા બ્રાહ્મણ પર જીવલેણ હુમલો કરાયો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં હથિયારો વડે હુમલો કરાયો હતો.
જેથી મુસ્લિમોના ત્રાસથી થાકી અને ગામના બ્રાહ્મણોએ હિજરત કરવાનું નક્કી કર્યુ હતું. હવે ગુજરાત બ્રાહ્મણ સમાજ રાજપૂત સમાજ અને અન્ય હિન્દુ સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા તેમને સુરક્ષા આપવાનું કહેવાયું હતું. ત્યારે રાજ્યના ધારાસભ્ય અને નેતાઓ આ ગામના બ્રાહ્મણોની મુલાકાતે પહોંચ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક સંગઠનો દ્વારા અલગ અલગ જીલ્લામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના વારાહી ગામે અસામાજીક તત્વોના ત્રાસ સામે વિપ્રપરિવારોને રક્ષણ આપવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામા આવી હતું કે ગુજરાત રાજ્યના સાંતલપુર તાલુકાના વારાહી ગામે અમારા સમાજના દસથી પંદર પરિવારો વસવાટ કરે છે.
આ ગામમાં અન્ય સમાજનો પણ વસવાટ કરે છે. જેમાં મુસ્લિમો બ્રહ્મસમાજને બદનામ કરવા તેમજ ગામમાંથી હિજરત કરે તેવી પરિસ્થતિ ઉભી કરેલ છે. છેલ્લા બે વર્ષથી વારાહી ગામમાં અસામાજીક તત્વોએ બ્રહ્મસમાજના લોકોને ગંભીર ઇજાઓ પહોચાડી છે. ત્યાંના સ્થાનિક બ્રહ્મસમાજના યુવાનને માર મારતા ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્યારે યુવાનને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. ત્યા અસામાજીક તત્વો દ્વારા સરકારી દવાખાનામાં હુમલો કરી વધુ બ્રાહ્મણ યુવાનોને ગંભીર ઇજા પહોંચાડી હતી.
સ્થાનિક પોલીસ દ્વારા પરિવારને બંદોબસ્ત હોવા છતાં અસામાજીક તત્વોની દાદાગીરી ચાલુ છે. વારાહી ગામમાં બ્રાહ્મણ યુવાનો પર થયેલ ગંભીર હુમલાઓના પગલે પોલીસ ફરિયાદ નાંધાવતા પરિવારના રક્ષણ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હોવા છતાં પરિવારને વારંવાર અસામાજીક તત્વોએ જંજાણમાંથી બચાવવા વહીવટીતંત્રને કહેવા છતાં કોઇ પરિણામ ન આવતા છેવટે હિજરતનો માર્ગ અપનાવવો પડ્યો હતો. હાલ ગમે ત્યારે બ્રહ્મસમાજ હિરજત કરે કે આત્મવિલોપન કરે તો આ બાબતની તમામ જવાબદારી રાજ્ય સરકારની રહેશે. આવા અસામાજીક તત્વો સામે યોગ્ય પગલા લેવા સંગઠનો અને બ્રાહ્મણ સમાજ દ્વારા માંગ કરવામા આવી છે.