આત્મહત્યા કરનાર વ્યક્તિના કેટલાક લક્ષણો આવા વિચાર આવતા પહેલા જ દેખાઈ આવે છે. કયા હોય છે એ લક્ષણો એના વિશે આજે અમે તમને જણાવશું..
10 સપ્ટેમ્બરના રોજ 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ'
વ્યક્તિની અંદર આવતા આત્મહત્યા સંબંધિત વિચારોને રોકવા આટલા મુશ્કેલ નથી
આત્મહત્યના વિચાર આવતા પહેલા જ એ વ્યક્તિમાં આવા લક્ષણો દેખાવવા લાગે
જ્યારે વ્યક્તિને વધુ તણાવ કે ટેન્શન થવા લાગે એ પછી ધીરે ધીરે તે ડિપ્રેશનનું સ્વરૂપ લેવાનું શરૂ કરે છે. એટલું જ નહીં ડિપ્રેશનને કારણે એ વ્યક્તિને આત્મહત્યા કરવાનો વિચાર પણ આવવા લાગે છે. ડિપ્રેશનના કારણે લોકો ધીમે ધીમે દુનિયા અને લોકોથી દૂર થઈ જાય છે અને તેઓ એવી દુનિયામાં જાય છે જ્યાંથી તેઓ પાછા નથી આવવા માંગતા. અને અંતે એકલું રહ્યા પછી તેઓને આત્મહત્યા કરવાના વિચાર આવવા લાગે છે.
જણાવી દઈએ કે દર વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ' ઉજવવામાં આવે છે અને એ દિવસ ઉજવવા પાછળનું કારણ છે લોકોમાં એ વિશે જાગૃતિ લાવી શકાય. જો કે વ્યક્તિની અંદર આવતા આત્મહત્યા સંબંધિત વિચારોને રોકવા આટલા પણ મુશ્કેલ નથી. આવા વિચારો આવે એ પહેલા જ યોગ્ય સમયે તેના લક્ષણો અને સંકેતોને ઓળખવાની જરૂર છે. આત્મહત્યા કરનાર વ્યક્તિના કેટલાક લક્ષણો આવા વિચાર આવતા પહેલા જ દેખાઈ આવે છે. કયા હોય છે એ લક્ષણો એના વિશે આજે અમે તમને જણાવશું..
ઉદાસ રહેવા લાગે
એક્સપર્ટસની માનીએ તો ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ ખૂબ જ ઉદાસ રહે છે અને કોઈ સાથે વાતો નથી કરતો અને તેને કારણે તે આત્મહત્યા કરવાનું વિચારે છે. આ એક મોટું લક્ષણ છે. જો તમારી આસપાસ પણ જોઈ એવા વ્યક્તિ હોય તો તમારે તેની સાથે વાત કરવી જોઈએ અને તેને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ.
અચાનક શાંત થઈ જવું
ડિપ્રેશનમાં વ્યક્તિ અચાનક શાંત થઈ જાય છે અને એ પહેલાની જેમ વાતચીત નથી કરતો. જો તમે તમારી આસપાસ કોઈ વ્યક્તિમાં આવા લક્ષણો જુઓ તો તેને તેમાંથી બહાર નીકળવામાં મદદ કરો અને સાચો રસ્તો બતાવવાનો પ્રયત્ન કરો.
બીજા લોકોથી દૂરી બનાવી લેવી
ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ હંમેશા એકલો રહેવા માંગે છે અને બીજા લોકોથી દૂર ચાલ્યો જાય છે. એવો વ્યક્તિ મિત્રોની વચ્ચે નથી રહેતો કે કોઈ સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ પણ નથી લેતો. આ પણ એક મોટું લક્ષણ છે એટલા માટે જ જો તમારી નજીકની વ્યક્તિ આવું કરી રહી છે તો તેની પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરો.
પર્સનાલિટી બદલવા લાગે
ડિપ્રેશણમાં રહેતો વ્યક્તિ પહેલા જએવો નથી રહેતો, અચાનક તેના વ્યવહારમાં બદલાવ આવી જાય છે, આ સાથે જ તેની નિંદર, બોલવા અને વાત કરવાના અંદાજમાં પણ બદલાવ આવવા લાગે છે. આ પણ એક મોટું લક્ષણ હોય શકે છે.
પોતાની જાતને જ નુકશાન પંહોચાડવું
જો કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય તો તેનું વર્તન ધીરે ધીરે ખતરનાક બની જાય છે અને તે પોતાને જ નુકસાન પહોંચાડી શકે છે. જેવું કે ડ્રાઇવિંગમાં બેદરકારી, અસુરક્ષિત સેક્સ, ડ્રગ્સ, દારૂ વગેરે જેવા લક્ષણો સહિત કોઈ વખત પોતાની જાતને ઇજા પણ પંહોચાડી દે છે. આવા કેટલાક લક્ષણો ને સામેવાળી વ્યક્તિ સમયસર ઓળખી લે તો એ બીજી વ્યક્તિને આત્મહત્યા કરતા રોકી શકે છે.