ઘરની શોભા વધારવા માટે સારા દેખાતા છોડ ઘરમાં લાવીએ છીએ પરંતુ વાસ્તુની દ્રષ્ટિએ અમુક ફુલ છોડને ક્યારેય ઘરમાં ન લાવવા જોઇએ
વાસ્તુ અનુસાર કેવા છોડ ઘરમાં વાવવા જોઇએ
કાંટાવાળા છોડ ઘરમાં ન લાવવા
સુકાયેલા છોડ નકરાત્મકતા વધારે છે
જેવી રીતે વાસ્તુમાં ઘરના દરેક ખૂણા તથા દરેક વસ્તુઓ માટે દિશા નક્કી કરેલી હોય છે. તેવી જ રીતે ગૃહસુશોભનની વસ્તુઓ પણ ઘરમાં કેવી અને ક્યાં મુકવી જોઇએ તે વાસ્તુમાં દર્શાવ્યું છે. ત્યારે વાત કરીએ ફુલ છોડની. તો હા, દરેક ફુલ છોડ ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરે તે જરુરી નથી. ઘણા એવા છોડ પણ છે જેના કારણે ઘરમાં નકારાત્મકતા આવે છે. ત્યારે આવો જાણીએ આવા ફુલ છોડ વિશે. જે ઘરમાં ભૂલથી પણ ન લાવવા જોઇએ.
કાંટાવાળા છોડ ન લાવવા
વાસ્તુ અનુસાર ઘરમાં કાંટાવાળા છોડ લગાવવાથી બચવું જોઈએ. ઘરમાં આવા છોડ લગાવવાથી નકારાત્મક ઉર્જા રહે છે. આવા છોડ જીવનમાં ઘણી સમસ્યાઓ ઉભી કરે છે.
દિવાલમાં પીપળો ઉગવો નકારાત્મક
વાસ્તુ અનુસાર જે જગ્યાએ ઘરોમાં ભીનાશ હોય છે, ત્યાં ઘણીવાર દિવાલો પર પીપળનું ઝાડ ઉગતું હોય છે. આ સ્થિતિમાં પીપળની પૂજા કર્યા પછી તેને દિવાલ પરથી હટાવી દેવી જોઈએ. ઘરમાં વાવેલ પીપળનું ઝાડ નકારાત્મકતા આપે છે.
સુકાયેલો છોડ ઘરમાં ન રાખવો
જો ઘરનો કોઈ છોડ સુકાઈ રહ્યો હોય તો તેને કાઢી નાખવું વધુ સારું છે. વાસ્તુ અનુસાર ઘરમાં રાખવામાં આવેલ સૂકો છોડ નકારાત્મકતા વધારે છે. અને તેના કારણે માતા લક્ષ્મી ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી જાય છે.
આ છોડ ઘરમાં લગાવવાથી ખુશીઓ આવશે
મની પ્લાન્ટ
મની પ્લાન્ટ તેનું નામ તેની વિશેષતા સૂચવે છે. વાસ્તુ અનુસાર ઘર કે ઓફિસમાં મની પ્લાન્ટ લગાવવો શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આમાં શુક્રના પરિબળો જોવા મળે છે. જે ઘરમાં શુક્ર ગ્રહની સકારાત્મક દ્રષ્ટિ હોય છે, ત્યાં પતિ-પત્ની વચ્ચે સારા સંબંધ બને છે.
ગલગોટો-ચંપો પણ શુભ
મની પ્લાન્ટ સિવાય મેરીગોલ્ડ, ચંપાના છોડ લગાવવા પણ શુભ માનવામાં આવે છે. વાસ્તુ નિષ્ણાંતોના મતે મેરીગોલ્ડ, ચંપાના છોડને ઘરમાં લગાવવાથી ઘરમાં સકારાત્મકતાનો વિકાસ થાય છે. તેનાથી માનસિક તણાવ ઓછો થાય છે. અને ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે.
તુલસી
હિંદુ ધર્મમાં તુલસી પૂજનીય છે. આસ્થા અનુસાર તુલસીનું મહત્વ વધુ છે તે જ સમયે મનુષ્યના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી વાયુ પ્રદૂષણ ઓછું થાય છે. સાથે જ તે ઘરમાં સકારાત્મકતાનો વિકાસ કરે છે.