હસ્તરેખા શાસ્ત્ર માત્ર ભવિષ્ય જ નથી બતાવતું પરંતુ તે એ પણ દર્શાવે છે કે આવનારા સમયમાં પૈસાની સ્થિતિ કેવી રહેશે.
ધનની સ્થિતિ રહે છે સારી
મળે છે કિસ્મતનો સાથ
વારસામાં મળે છે સંપત્તિ
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર હથેળીની રેખાઓ અને વિશેષ ચિન્હો ભવિષ્ય વિશે ઘણું બધું જણાવે છે. હાથની રેખાઓ ન માત્ર ભવિષ્ય વિશે જણાવે છે પણ જીવનમાં પૈસાની સ્થિતિ પણ દર્શાવે છે. હાથની રેખાઓ પરથી એ જાણી શકાય છે કે વ્યક્તિને જીવનમાં ક્યારે અને કેટલા પૈસા મળશે. આવો જાણીએ હથેળીની કઈ રેખા ધનનો સંકેત આપે છે.
આ રેખા જીવનમાં પૈસાની સ્થિતિ દર્શાવે છે
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જો હથેળીની જીવન રેખા સાથે મંગળ રેખા સૌથી છેલ્લે સુધી જાય છે. તેમજ હથેળી મજબૂત અને ભારે હોય છે તો આવા લોકોને વારસામાં કરોડો રૂપિયાની સંપત્તિ મળે છે. આ સિવાય આવા લોકોને હંમેશા સન્માન અને પ્રતિષ્ઠા મળે છે.
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જો હથેળીમાં ભાગ્ય રેખા એકથી વધુ હોય અને આંગળીઓની સાઈઝ પણ સમાન હોય તો વ્યક્તિને જીવનમાં અચાનક જ ધનની પ્રાપ્તિ થાય છે.
જો હથેળીમાં ભાગ્ય રેખા જાડીથી પાતળી થતી હોય, આંગળીઓ સીધી હોય, શનિનો પર્વત મજબૂત હોય, જીવન રેખા ગોળ હોય અને મગજ સુધી પહોંચતી હોય તો આવા લોકો વેપારમાં ઘણી પ્રગતિ કરે છે. ધંધા-રોજગારમાં પણ અઢળક કમાણી કરે છે.
જો સૂર્ય રેખામાં કોઈપણ પ્રકારની ખામી ન હોય અને તે એક કરતા વધુ હોય તેમજ હથેળી ભારે હોય અને શનિ અને સૂર્યની આંગળી સીધી અને સમાન હોય અથવા ભાગ્ય રેખા કાંડામાંથી બહાર નીકળીને સીધી શનિ પર્વત પર પહોંચી જાય તો આવા લોકો કરોડપતિ બને છે.
જો ચંદ્ર પર્વત તરફ જતી રેખા ભાગ્ય રેખાને મળે છે અને તેમાં કોઈ ખામી નથી. તેમજ ભાગ્ય રેખા સીધી શનિ પર્વતની નીચે પૂરી થાય છે તો વ્યક્તિને કોઈ અન્ય વ્યક્તિ પાસેથી ધન પ્રાપ્ત થાય છે. આ સિવાય આવા લોકોના નસીબમાં બીજાના પૈસાથી અમીર બનવાના ચાન્સ હોય છે.