વડોદરાના બજારમાં આયુર્વેદિક મીઠાઇ આવી ગઇ છે. આઇસ્ક્રીમ બાદ આયુર્વેદિક મીઠાઇ બજારમાં આવી ગઇ છે. કારેલીબાગમાં દુકાનદારે લાડુ અને મીઠાઇ બનાવી છે. હર્બલ પેંડા, બૂસ્ટર બરફી અને ઇમ્યૂનિટી લાડુ બનાવ્યા છે. પેંડામાં તુલસી, મધ, સુઠ સહિતનો ઉપયોગ કરાયો છે તો બરફીમાં ફુદીનો, તજ, ઈલાયચી સહિતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે લાડુમાં ઓર્ગેનિક ગોળ, દેશી ઘી સહિત સામગ્રી વાપરવામાં આવી છે. કોરોનાનો સામનો કરવા મીઠાઈ મદદરૂપ થશે તેવો દાવો કરવામાં આવ્યો છે.