ગાંધીનગરઃ રાજ્યમાં ધર્મ પરિવર્તન કરવા માગતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. રાજ્યભરમાંથી ધર્મ પરિવર્તન માટે 419 અરજીઓ આવી છે. જેમાંથી સરકારે માત્ર 142 અરજીઓ માન્ય રાખી છે.
ત્યારે હિન્દુ ધર્મમાંથી પરિવર્તન માટે સૌથી વધુ 384 અરજી મળી હતી. જ્યારે મુસ્લિમ ધર્મમાંથી પરિવર્તન માટે 30 જેટલી અરજી મળી છે. તો ખ્રિસ્તી ધર્મમાંથી 4 અને શીખ ધર્મમાંથી 1 અરજી મળી હતી.
જોકે સરકારે 142 અરજી પરિવર્તન માટે માન્ય રાખી છે. ત્યારે સૌથી વધુ 194 અરજી બનાસકાંઠામાંથી કરવામાં આવી છે. જોકે તેમાંથી સરકારે માત્ર 2 અરજી માન્ય રાખી છે.
જ્યારે સુરેન્દ્રનગરમાંથી 55 અરજી થઈ હતી. જેને સરકારે માન્ય રાખી હતી. તો નર્મદા ગીર-સોમનાથ મહીસાગર ડાંગ નવસારી તાપી અને પાટણ જિલ્લામાંથી ધર્મ પરિવર્તન માટે એક પણ અરજી મળી ન હતી.