સૂર્યની કૃપા તમારા પર થઈ જાય તો જીવનમાં કોઈ મુશ્કેલી નથી રહેતી.
ઉગતા સૂર્યને જોઈ કરો આ કામ
જીવનભર નહીં થાય કોઈ કમી
જીવન સુખ-સમૃદ્ધિથી ભરેલું રહેશે
સૂર્ય ઉર્જાનો સ્ત્રોત છે. તેનાથી જ જીવન ચાલે છે. માટે હિન્દૂ ધર્મમાં સૂર્યને ખૂબ ઉંચો દરજ્જો આપવામાં આવ્યો છે. સૂર્યને દેવ માનવામાં આવે છે. ઘણા લોકો સવારે રોજ સૂર્યની પૂજા કરે છે. તેમની કૃપાથી જીવનમાં સફળતા, સ્વાસ્થ્ય અને સુખ મળે છે.
જ્યોતિષમાં પણ સૂર્યને ગ્રહોના રાજા ગણવામાં આવે છે. સૂર્ય સાથે જોડાયેલા ઉપાય એટલે મહત્વના અને તાકાતવાળા હોય છે કે તેનાથી જીવનની દરેક મનોકામના પૂરી થાય છે. આજે એવા જ શક્તિશાળી ઉપાયો વિશે જાણીએ.
ખૂબ પ્રભાવી છે આ ઉપાયો
જ્યોતિષ અનુશાર સૂર્યને જળ ચઢાવતી વખતે એમાં અમુક વસ્તુઓ મિક્ષ કરવાથી મનોકામનાઓ પુરી થાય છે. ખૂબ ધન અને સફળતા પ્રાપ્ત થાય છે.
કંકુ
સૂર્યને કંકુનું જળ અર્યણ કરવાથી સૂર્ય દોષ દૂર થાય છે. સ્વાસ્થ્ય સારૂ રહે છે. કિસ્મત ચમકે છે. શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારૂ થાય છે.
ફૂલ
હિન્દૂ ધર્મમાં દેવી દેવતાઓની પૂજામાં પુષ્પોનો ઉપયોગ ખૂબ મહત્વનો છે. સૂર્ય દેવને લાલ ફૂલ મિક્ષ કરેલું જળ ચઢાવવા થઈ બધા કામમાં સફળતા મળે છે.
અક્ષત
હિન્દુ ધર્મમાં અક્ષતને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જળમાં અક્ષત મિક્ષ કરીને સૂર્યને ચઢાવવાથી સુખ-શાંતિ મળે છે.
સાકર
સાકર મિક્ષ કરીને જળ ચઢાવવાથી સૂર્ય દેવ પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ પ્રાપ્ત થાય છે.
હળદર
સૂર્યને હળદર મિશ્રિત જળ ચઢાવવાથી જલ્દી વિવાહનો યોગ બને છે. વૈવાહિક જીવન સુખમાં રહે છે. ધન લાભ થાય છે.