ઝીરો બજેટ ખેતી કોને કહેવાય તે સમજવા તમારે આ સ્ટોરી જરૂર વાંચવી જોઈએ. ધાણાના પાકમાં ચણા અને સૂરજમુખી પણ વાવ્યા અને એ પણ સાવ ઝીરો બજેટમાં. આવો જાણીએ.
ઝીરો બજેટ ખેતી - Gayatri Joshi
જય જવાન જય કિસાનનું સૂત્ર તો યાદ હશે જ. ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે કારણ કે તે અન્નદાતા છે. પણ આપણા દેશમાં ખેતી સંપૂર્ણ રીતે મૌસમ આધારિત હોવાને કારણે ઘણીવાર ખેડૂતની ગણતરીઓ ઉંધી વળી જાય છે તો ઘણીવાર વધુ પાક ઉત્પાદન મેળવવા માટે વપરાતું ખાતર કે, જંતુનાશક દવાઓને કારણે પાકેલુ ધાન ઝેરનું કામ કરે છે ત્યારે હવે ગુજરાતમાં એક કન્સેપ્ટ ધીરે ધીરે પણ મક્કમ પગલે આગળ વધી રહ્યો છે. હવે ધીરે ધીરે ઝીરો બજેટ ખેતીનો વિચાર ખેડૂતો સાચ્ચે અપનાવતા થયા છે. અને આપણે આવાજ એક ખેડૂતની વાત તેના જ મોંએથી સાંભળીએ.
પ્રાકૃતિક ખેતી કરવી એ કંઈ જેવા તેવાના ખેલ નથી કારણ કે, ઘણીવાર એમ બને કે તમારી ધીરજ જવાબ આપી દે પણ મક્કમ પગલે એકધારી રીતે તમે પ્રાકૃતિક ગાયઆધારિત ખેતીને વળગી રહો તો ચોક્કસથી જીરો બજેટ ખેતીનું સપનું સાકાર થાય.
ઝીરો બજેટ ખેતી કરીને પ્રેરણાદાયક પહેલ
સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરીને માંગરોળના આ ખેડૂતે કમાલ કરી બતાવી છે. સૂરજ મુખીની ઝીરો બજેટ ખેતીથી તમે પણ પ્રેરણા લઈ શકો છો. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેપા ગામના ખેડૂત વિજયભાઈ વિરાભાઈ પરમારે સંપૂર્ણ ગાય આધારિત જીરો બજેટ ખેતી કરીને પ્રેરણાદાયક પહેલ કરી બતાવી છે.
સનફ્લાવર ઓઈલનું અત્યારથી બુકિંગ થઈ ગયું.
વિજય પરમાર કહે છે કે, મેં સૂરજ મુખી ધાણાના પાકમાં એટલે વાવ્યા હતા કે કીટનાશકનું કામ કરે પણ ધીરે ધીરે મેં જોયું તો ધાણાના પાક કરતા પણ સૂરજમુખીનો પાક સરસ ઉગ્યો હતો. મેં 12 વિઘામાં આ રીતે દરેક ચાસને શેઢે સૂરજ મુખી અને ચણા વાવ્યા હતા. જેમાં આજે 100 દિવસ બાદ હવે સૂરજમુખીનો પાક તૈયાર થઈ ગયો છે અને આ વર્ષે તેમાંથી ઓઈલ પણ નીકળશે જેનું અગાઉથી જ બુકીંગ થઈ ગયું છે. આ ઓઈલ સંપૂર્ણ પણે પ્રાકૃતિક છે. મેં ઓગ્રેનિક સર્ટિફિકેટ માટેની પ્રોસેસ કરી દીધી છે અને ટૂંક સમયમાં મને તે પણ મળી જશે. હું મગફળીનો પાક પણ ચાસની વચ્ચે લઉં છું. જે પણ સંર્પૂણ પ્રાકૃતિક અને ગાયઆધારિત છે.
જમીન પહેલા કરતા પણ વધુ ફળદ્રુપ બની
વળી જો પાકના ખર્ચા અંગે જોઈએ તો, આ આડપાક છે એટલે કે પીળા રંગના ફૂલથી જીવાત આકર્ષાય અને મૂળ પાકને નુકસાન ન કરે પણ મારો આડપાક જ સરસ ઉગ્યો છે. ખાતરમાં ગૌ આધારિત ખાતરનો વપરાશ કરવાને કારણે જમીનમાં કુદરતી રીતે અળસિયાઓની સંખ્યા વધી છે જેથી જમીન પહેલા કરતા પણ વધુ ફળદ્રુપ બની છે.
શું પડી મુશ્કેલીઓ
સામાન્ય રીતે સૂરજમુખીમાં જ્યારે ઈયળો પડી ત્યારે મેં ખાટી છાશનો છંટકાવ કર્યો પણ તે છેક અંદર સુધી જઈ શકે તેમ નહોતી. મેં સંપૂર્ણ રીતે ગાય આધારિત ખેતી કરી હતી એટલે હું કોઈપણ રાસાયણિક જંતુનાશક દવા મારે છાંટવી નહોતી તો ત્યારે મેં એક એક ઈયળ ફૂલોમાંથી પકડી પકડીને બહાર કાઢી હતી.
ગોમૂત્રનો સ્ટોક
મેં ખાસ ગાયોની ગમાણમાં એવી વ્યવસ્થા ગોઠવી છે કે, ગૌ મૂત્ર અને બળદ તેમજ ભેંસોનું મૂત્ર અલગ અલગ ભેગુ થાય. આ માટે મેં જાતે ડિઝાઈન કરીને ગમાણમાં પાળા બનાવ્યા છે. જીવામૃત, ઘનામૃત વગેરે બનાવીને હું જાતે જ મારા રાજદૂત દ્વારા ખેતરમાં છંટકાવ કરૂં છું. અને મે 300 લીટર ગૌમૂત્ર એકઠું કર્યું છે. એટલું જ નહીં પરંતુ મે ખાટી છાશનો પણ સ્ટોક કરી લીધો છે.
પિયત માટેની વ્યવસથા
પિયત માટે પણ ખાસ જ્યારે પાણી ક્યારાઓ સુધી પહોંચે છે ત્યારે એક અનોખી વ્યવસ્થા ઉભી કરી છે. ઈયળના ફુદાના નિયંત્રણ માટે ફેરોમેન ટ્રેપ ગોઠવી છે. જીવાતના નિયંત્રણ માટે મેં પોતે ડબ્બામાંથી બનાવેલ પ્રકાશ પિંજરા ગોઠવાયા છે.
ખાતર પાણી
વિજય પરમાર કહે છે કે, પાયા મા ઘન જીવા મૃત નાખ્યુ છે. ચણા ને પટ માટે વાવેતર વખત ગાય નુ છાણ ગૌમુત્ર અને ચૂનો નુ બીજામૃત + ટ્રિઈકોડરમા આપેલુ છે. પછી પિયત સાથે જીવામૃત અને NPK કૉનસેટીયા કલ્ચર આપેલુ છે. મીક્ષ ક્રોપ મા 10×10 સુરજ મુખી અને વાવેતર કરેલ છે.