સાવરકુંડલાના વીનુભાઈ ગોસ્વામીનું સપનું હતું કે, તેઓ પોતાના બંને પુત્રોને પોતાની જેમ સંઘર્ષ નહીં કરવા દે.. અને તેઓ તેમને કોઈપણ રીતે ભણાવી-ગણાવીને સફળ બનાવશે
લક્ષ્ય નક્કી હોય તો સફળતા જરૂર મળે છે
પંચની દુકાનથી નેવી સુધીની સફળતા
પાનની કેબિનથી MBBS સુધીની સફળતા
મન હોય તો માળવે જવાય. આ કહેવતને આજે અમરેલીના એક નાનકડા ગામના વ્યક્તિએ સાબિત કરી છે. પંચરની દૂકાન ચલાવતા વ્યક્તિએ પોતાના દીકરાઓને ઊંચાઈઓ સુધી પહોંચાડવાના સપના જોયા હતા. જે સપના આજે સફળ થયા છે. એટલું જ નહીં એક દીકરો ડોક્ટર બનવાની તૈયારીમાં છે. તો બીજી દીકરો દેશસેવામાં જોડાયો છે. ત્યારે કોણ છે તે પંચર બનાવનાર વ્યક્તિ જેણે પોતાના દીકરાઓ થકી પૂર્ણ કર્યું પોતાનું સપનું આવો જોઈએ આ રિપોર્ટમાં..