કોરોનાને કારણે ચીનથી આક્રોશ પામેલું આખું વિશ્વ હવે ચીનના વિકલ્પની શોધમાં છે.
ભારત માટે આ એક મોટી તક છે અને મોદી સરકાર ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા અને એક્સપૉર્ટ કરતા રાષ્ટ્ર બનાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ અંગે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે શનિવારે કહ્યું હતું કે સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીથી નિકાસ વધશે નહીં.
ક્વોલીટી અને ટેક્નોલોજી આપણી મજબૂતી
ગોયલે સ્પષ્ટ કહ્યું કે ભારત ગુણવત્તા, ટેક્નોલોજી અને ઉત્પાદનના સ્તરે 1000 અબજ ડોલરના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરી શકે છે. તેમણે કહ્યું કે નિકાસકારો અને ઉદ્યોગો સાથે મળીને કામ કરશે, તો જ આપણે 1000 અબજ ડોલરનું નિકાસ લક્ષ્ય હાંસલ કરી શકીશું.
1000 અબજ ડોલરનું નિકાસ લક્ષ્ય મુશ્કેલ નથી
ગોયલે કહ્યું, "આપણે ભારતમાંથી 1000 અબજ ડોલરની નિકાસ કરવાનું લક્ષ્ય સાધી શકીએ તેમ છીએ. આ માટે, આપણે ક્રિયાશીલ ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ફક્ત સબસિડી આપી આપીને આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય તેમ નથી. હું આ વિશે ખૂબ જ સ્પષ્ટ છું."
ગોયલે પસંદ કરેલા ક્ષેત્રોમાં નિકાસને લગતી અડચણો દૂર કરવાની વ્યૂહરચના અંગે વેબિનારને સંબોધન કરતાં કહ્યું હતું કે " હું આ પદ પર છેલ્લા છ વર્ષથી કાર્યરત છું. મેં જોયું છે કે ભારતની સમસ્યાઓનું નિરાકરણ સબસિડી નથી."