IPLમાં ચેન્નઈની જીત પર સુબ્રહ્મણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને વિવાદ સર્જયો છે. સ્વામીએ ટ્વીટ કરીને જેટલી પવાર અને રાજીવ શુક્લા પર પ્રહાર કર્યા છે અને તેમનું દાઉદ કનેકશન હોવાનો આરોપ કર્યો છે. સ્વામીએ જણાવ્યું હતું કે ચેન્નઈની જીત એ શ્રીનીવાસની વિરોધીઓ માટે નિચા જોણુ છે. આ શ્રીનીવાસને ક્રિકેટથી દૂર કરવા ઈચ્છનારાઓના ગાલે તમાચો છે.
ઉલ્લેખનીય છે કે આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે IPL સિઝન-11ની ફાઇનલ મેચ યોજાઇ હતી જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રસાકસી ભરેલી મેચમાં 179નો લક્ષ્યાંક CSKને આપવામાં આવ્યો હતો.
So CSK again champion in IPL. All those who conspired with Dawood to see CSK go to rack and ruin should hang their heads in shame: I mean Pawar Jaitely and Rajiv Shukla who wanted to eliminate Srinivasan from cricket
જો કે આ મેચની ઓપનિંગમાં ઉતરેલા શ્રીવત્સ ગોતમે માત્ર 5 રન બનાવીને રન આઉટ થઇ ગયો હતો અને કેપ્ટન વિલિયમસન 50 રન પુરા કરે તે પહેલાં જ 47 રને આઉટ થઇ ગયો. જ્યારે યુસુફ પઠાણ 25 બોલમાં 45 રન બનાવી અણનમ રહ્યો હતો.
ત્યારે મેચમાં CSKની જીત બાદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ એક ટ્વીટ કરીને વિવાદ સર્જી દીધો હતો અને અરૂણ જેટલી પવાર અને રાજીવ શુક્લા પર આકરા પ્રહાર પણ કર્યા હતા. અને દાઉદ સાથેનું કનેક્શન ગણાવ્યું હતું.આપને જણાવી દઇએ કે સુબ્રહ્મણ્યમ સ્વામીએ આ પહેલા પણ વિવાદિત વિધાનો આપતા રહ્યા છે અને જેના કારણે તેઓ માધ્યમોમાં છવાયેલા રહે છે ત્યારે આજે ફરીવાર તેમણે એક ટ્વીટ કરી વિવાદનો મધપુડો છંછેડ્યો હતો.