ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ઘણા દિવસોથી આ મામલાને લઈને એક્ટિવ રહ્યા છે. તેમણે જ કેન્દ્ર સરકાર પાસે સીબીઆઈ તપાસની માંગ પણ કરી હતી. હવે સ્વામીએ એક ટ્વીટ કરીને સુશાંત સિંહ મૃત્યુ કેસને બોલીવુડનું વોટરગેટ પણ ગણાવ્યું હતું. આ બાદ આજે તેમણે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે સુશાંતના આપઘાતના દિવસે ડ્રગ ડિલર આયશ ખાન સુશાંતને મળ્યો હતો. ખાન તેના ઘરે ગયો હતો.
સુશાંતસિંહ રાજપૂત આપઘાત કેસને લઇ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મોટો ખુલાસો કર્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ ખુલાસો કરતા કહ્યું કે આપઘાતના દિવસે ડ્રગ ડિલરે સુશાંત સાથે મુલાકાત કરી હતી. દુબઇનો ડ્રગ ડિલર આયશ ખાન સુશાંતને આપઘાતના દિવસે મળ્યો હતો. અને તેના ઘરે ગયો હતો.
ઉલ્લેખનીય છે કે સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટમાં લખ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતનું 'મર્ડર' એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર માટે વોટરલૂ અને વોટરગેટ છે. ત્યાં સુધી આપણે આ મામલામાં ન્યાય નહીં મળે ત્યાં સુધી છોડવું જોઈએ નહીં. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સ્વામીએ સુશાંત સિંહના મોતને ખૂન ગણાવ્યું છે. આ પહેલા પણ તેણે આ પ્રકારના આક્ષેપો કર્યા હતા અને 26 કારણોને તેની તરફેણમાં ગણાવી દીધા હતા. સુશાંતના રૂમમાં મળી રહેલી એન્ટી-ડિપ્રેસન દવાઓ વિશે, પણ તેમણે કેટલાય દાવાઑ કર્યા હતા.
શું હતું વોટરગેટ કૌભાંડ?
તમને જણાવી દઈએ કે, વોટરગેટ કૌભાંડ અમેરિકી રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન સાથે જોડાયેલું હતું, જેમાં તેમને રાજીનામું આપવું પડ્યું હતું. આ ઘટનાની અમેરિકાના રાજકારણ પર ખૂબ જ ઊંડી છાપ પડી હતી, રિચાર્ડ નિક્સન પર જાસૂસીનો આરોપ હતો. આ ઘટના 70 ના દાયકાની છે. અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટ દ્વારા આ ઘટનાનો પર્દાફાશ થયા બાદ નિક્સનને રાજીનામું આપવું પડ્યું હતું.
સ્વામીએ કરી હતી CBI, NIA, EDના તપાસની માંગણી
સુબ્રમણ્યમ સ્વામીએ CBI, NIA અને ED પાસે આ મામલાની તપાસ કરવા માંગ કરી હતી. આ માટે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર પણ લખ્યો હતો. તેમણે પોતે ટ્વીટ કર્યું હતું કે તેમણે વડા પ્રધાન મોદીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને નિર્દેશ આપવા વિનંતી કરી છે અને NIA ને મોત દરમિયાનના સંજોગોની તપાસ કરવા જણાવ્યું હતું. જો કે બાદમાં આ કેસ સીબીઆઈને સોંપાયો હતો. ED પણ આ બાબતે વિવિધ ખૂણાથી તપાસ કરી રહી છે.
તેમજ સ્વામીએ તે 5 ડૉક્ટર્સને લઇને પણ સવાલ ઉઠાવ્યા છે જેમણે સુશાંતનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. સ્વામીએ સોમવારે ટ્વિટ કર્યું હતું કે કૂપર હોસ્પિટલના તે પાંચ ડૉક્ટરો સાથે પૂછપરછ થવી જોઇએ. એમ્બ્યુલન્સના કર્મચારી અનુસાર સુશાંતના પગ પગની ઘૂંટીથી વળી ગયેલા હતા જાણે ટૂટી ગયા હોય.