ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી પોતાના નિવેદનોથી હંમેશા વિવાદમાં રહે છે. સ્વામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. સ્વામીએ પત્રમાં રામ મંદિર જલદી બનાવવાની વાત કરી છે. તેના માટે સુપ્રીમ કોર્ટના આદેશની રાહ જોવાની જરૂર ન હોવાની વાત કરી છે. સુપ્રીમ કોર્ટની રાહ ન જોવાની વાતનો વિરોધ થઈ શકે છે.
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી વિવાદીત નિવેદન આપવા માટે પ્રખ્યાત છે. તેઓ વ્યવસાયે સુપ્રીમ કોર્ટના પીઢ વકીલ છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે અને રામેશ્વર સ્થિત રામ સેતુને રાષ્ટ્રીય વારસો જાહેર કરવા માગ કરી છે. સ્વામી આ બન્ને માગને પૂરી કરવા માટે ઘણા પહેલાથી માગ કરી રહ્યા છે.
ત્યારે હવે મોદી સરકાર ફરી બનતા આ માંગોને તીવ્ર ગતિએ ઉઠાવવામાં આવી રહી છે. રિપોર્ટ પ્રમાણે પ્રધાનમંત્રીને પત્ર લખી સ્વામીએ કહ્યું કે, રામ સેતુને રાષ્ટ્રીય વારસો જાહેર કરવામાં આવે. આ સરકારને બંધારણથી જે તાકત મળી છે. તેની મદદથી જાહેર કામ માટે સુપ્રીમ કોર્ટની પરવાનગી લીધા વગર પણ અયોધ્યાની જમીન ફાળવી શકાય છે. અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે સરકાર જો 67.62 એકર જમીન આપવાનો નિર્ણય કરે તો કોઈ કાનૂની અવરોધનો સામનો કરવો પડશે નહીં.
સુબ્રમણ્યમ સ્વામીએ પત્રમાં શ્રીલંકાના પ્રધાનમંત્રીની માગનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પહેલા પણ સ્વામીએ કહ્યું હતું કે, શ્રીલંકાના પ્રધાનમંત્રીનું માનવું છે કે, અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર બનવાથી શ્રીલંકામાં પ્રવાસન વધવાની સંભાવના છે. શ્રીલંકાની સરકાર રાવણના મહેલ, અશોક વાટિકાને રાષ્ટ્રીય વારસા તરીકે જાહેર કરવાની સંભાવનાઓ પર વિચારી રહી છે.
આ પહેલા ગત વર્ષે સ્વામીએ કહ્યું હતું કે, બધા સંપત્તિ માટે લડી રહ્યા છે. હું આસ્થા માટે લડી રહ્યો છું. હું અનુચ્છેદ 25 હેઠળ મારા મૂળભૂત અધિકારો માટે લડી રહ્યો છું. પરંતુ કોંગ્રેસ અમારી તારીખ લાગવા દેતી નથી. અમારા મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિર કાયમી મંદિર રહે છે. સરકાર રામ જન્મભૂમિ માટે કાયદો પણ બનાવી શકે છે.