નેપાળ ભારત વચ્ચે ચાલી રહેલા નકશા વિવાદ પર સુબ્રમણ્યમ સ્વામીની ટીપ્પણીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યુ છે. સ્વામીએ ભારતની વિદેશનીતિને લઈને ટકોર કરી છે. આ ટ્વીટને પગલે આ વિવાદ વધુ ઘેરાયો છે.
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીનું નેપાળ-ભારત વિવાદ પર ટ્વીટ
ભારત અને નેપાળ વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ પર ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટીપ્પણી કરી છે. સ્વામીએ કહ્યું કે વિદેશ નીતિ બદલવાની જરૂર છે. સાથે જ સરકારને સવાલ કરતા કહ્યું એવું શું છે જેનાથી નેપાળને ભારત સાથે સંબંધ તોડવા મજબૂર કર્યુ છે. ભારતના વિસ્તાર વિશે નેપાળ કેમ વિચારી શકે. વિદેશ નીતિને ફરીથી સ્થાપિત કરવાની જરૂર છે.
How can Nepal think of asking for Indian territory? What has hurt their sentiments so much that they want to break with India? Is it not our failure? Need RESET in foreign policy too
મહત્વનું છે કે નેપાળ સંસદે શનિવારે એક વિવાદીત બિલ પાસ કર્યું છે. આ બિલ નેપાળના નવા નકશાને માન્યતા આપે છે. જેમાં રાજનીતિક રૂપથી મહત્વના ત્રણ ભારતીય વિસ્તાર લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળે પોતાના વિસ્તારમાં બતાવ્યા છે.
શું કહે છે ભારત
નેપાળના નવા નકશા પર ભારતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે કૃત્રિમ વિસ્તારણનો નેપાળનો દાવો ઐતિહાસિક તથ્યો કે પુરાવા આધારિત નથી.જ્યારે આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. જે બાદ તેને બંધારણમાં શામેલ કરવામાં આવશે.