સુબ્રમણ્યમ સ્વામી પોતાના નિવેદનને લઇને મોટાભાગે ચર્ચામાં રહે છે. એમનું આ ટ્વિટ એવા સમયે આવ્યું છે જ્યારે ગોવા અને કર્ણાટકના રાજકારણ ઘટનાક્રમને લઇને વિપક્ષ ભાજપ પર પ્રહાર કરી રહ્યું છે. વાસ્તવમાં ગોવા વિધાનસભામાં કોંગ્રેસના 15 ધારાસભ્ય હતા એમાંથી 10 ધારસભ્યો ભાજપમાં સામેલ થવાથી 5 ધારાસભ્ય બચ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને પોતાની જ પાર્ટી પર કટાક્ષ કર્યો છે. એમને ટ્વિટ કરીને લખ્યું, 'ગોવા અને કાશ્મીરને જોયા બાદ, મને લાગે છે કે જો આપણે એક જ પાર્ટી તરીકે ભાજપની સાથે રહીશું તો દેશનું લોકતંત્ર નબળું પડી જશે.'
એમને એનો ઉપાય પણ જણાવ્યો અને લખ્યું, 'વિપક્ષ ઇન્ટાલિયન્સ અને એમના સંતાનને પાર્ટી માંથી હટવા કહે. મમતા ત્યારબાદ એકજૂથ કોંગ્રેસની અધ્યક્ષ બને. એનસીપીએ પણ કોંગ્રેસમાં વિલય કરવું જોઇએ.'
After witnessing Goa and Kashmir, I feel that nation's democracy will weaken if we are left with BJP as a single party. Solution? Ask Italians & progeny to leav. Mamata can then be President of united Congi thereafter. NCP should also follow and merge.
સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કર્ણાટક અને ગોવામાં રાજકારણ ગરમાયું છે. કર્ણાટકમાં ધારાસભ્યના રાજીનામા બાદ સરકાર પર ઓછા મતમાં આવવાનું સંકટ મંડરાઇ રહ્યું છે તો બીજી બાજુ ગોવામાં કોંગ્રેસના 10 ધારાસભ્યોએ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઇ ગયા.
માનવામાં આવી રહ્યું છે કે આ ટ્રેન્ડ આવનારા દિવસોમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ જોવા મળી શકે છે.