સમયાંતરે પોતાની જ સરકાર પર આકરા પ્રહારો કરીને ભાજપના દિગ્ગજ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી મોદી સરકારનો ઉધડો લઈ લેતા હોય છે. ફરી એક વાર તેમણે આકરાં પ્રહારો કર્યા છે.
ચીન અને સીમા સુરક્ષાના મુદ્દા પર પોતાની જ સરકારને ઘેરનારા ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એક વાર પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. ભાજપ સાંસદે ટ્વિટ કરતા લખ્યું છે કે, મોદીની 56 ઈંચની પહોંળી છાતી પર ચીની ચડી બેઠા છે અને તેઓ મૂંગા થઈ ગયા છે.
હકીકતમાં શુક્રવારે સર્વવિદ્યા નામના એક ટ્વિટર યુઝર્સે એક સમાચાર શેર કર્યા હતા, જેમાં ચીનના રક્ષામંત્રાલયે અમેરિકા પર ટાર્ગેટ કરતા કહ્યું હતું કે, ભારતની સાથે તેમનો સરહદી વિવાદ બંને દેશોનો આંતરિક મુદ્દો છે. એટલા માટે વિવાદમાં કોઈ ત્રીજા દેશે હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. આ સમાચારને ટ્વિટ કરતા યુઝર્સે પોતાના ટ્વીટમાં ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીને ટૈગ કર્યું હતું અને લખ્યું હતું કે, હવે ચીન અમેરિકાને દખલ નહીં દેવાની ધમકી આપી રહ્યું છે.
Working "closely" with India, China tells US to mind its own business since Chinese are sitting on Modi's 56" chest and he is not objecting. In fact, Modi is unaware of China sitting on his chest and is chanting "koi aaya nahin..."
જે બાદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટનો જવાબ આપતા લખ્યું હતું કે, ભારત સાથે મળીને કામ કરી રહ્યું છે. ચીને અમેરિકાને પોતાના કામ પર ધ્યાન આપવા જણાવ્યું છે. કારણ કે, ચીની મોદીની 56 ઈંચવાળી છાતી પર બેઠા છે અને તે તેનો વિરોધ પણ નથી કરી રહ્યા. હકીકતમાં મોદીને ખબર પણ નથી કે, ચીન તેમની છાતી પર બેઠું છે અને તેઓ કોઈ આવ્યું નથી તેનો નારો લગાવી રહ્યા છે.
જણાવી દઈએ કે, ભારત અને ચીનની વચ્ચે 12 જાન્યુઆરી 14મી વખત વાત થઈ હતી. આ અગાઉ વ્હાઈટ હાઉસના પ્રવક્તા જેન પાસ્કીએ ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદને લઈને ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ચીન પર તેના પાડોશીઓ દ્વારા ડરાવવા-ધમકાવવાનો પ્રયાસ કરે છે. અને અમે ચીનના આ વ્યવહાર પર નજર રાખીને બેઠા છીએ. અમેરિકી અધિકારી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતા ચીની રક્ષા મંત્રાલયે ક્યું કે, સરહદી સમસ્યાએ દ્વિપક્ષીય મામલો છે અને ચીન અને ભારત બંને ત્રીજા પક્ષના હસ્તક્ષેપનો વિરોધ કરે છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાર્તા પોઝિટીવ રહી છે. સરહદી વિવાદ પાર પાડવા માટે બંને દેશ મળીને કામ કરી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે, 2020 ના મે મહિનામાં પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં સરહદી વિવાદને લઈને બંને દેશોની સેનાઓ આમને સામને આવી ગઈ હતી. બંને દેશોની વચ્ચે ઉપજેલો વિવાદ ત્યાર હિંસક થયો જ્યારે ગલવાન ઘાટીમાં થથયેલા સંઘર્ષમાં લગભગ 20 ભારતીય સૈનિકોના મોત થઈ ગયા હતાં.