ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી આજે અમદાવાદની મુલાકાતે છે. ત્યારે તેઓએ JNU સહિતના મુદ્દાને લઇ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે JNUમાં બહારથી આવતા લોકો ભાગલા પાડે છે. બધા જ ભારતીયોના DNA એક પ્રકારના છે.
સુબ્રમણ્યમ સ્વામી અમદાવાદની મુલાકાતે
JNU મુદ્દે આપ્યું નિવેદન
નિવેદનોને લઇને સ્વામી સતત રહે છે વિવાદમાં
બ્રાહ્મણ અને શિડ્યુલ કાસ્ટના પણ DNA એક જ છે અને મુસ્લિમના પણ DNA એક જ છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે મેં ઓવૈસીને કહ્યું હતું કે તમારું DNA એક જ છે. આપણે પહેલા ભારતીય છીએ અને પછી ગુજરાતી કે મરાઠી.
સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન
નોંધનીય છે કે, હાલ છેલ્લા કેટલાક સમયગાળાથી JNU ખાતે વિદ્યાર્થીઓ દ્વારા CAA મુદ્દે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. તો તાજેતરમાં જ કેમ્પસમાં અથડામણ પણ થઇ હતી. જો કે, ત્યારે જ ભાજપના પીઢ નેતા અને સતત ચર્ચામાં રહેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ મુદ્દે જંપલાવ્યું હતું.
અમદાવાદના પ્રવાસે આવ્યા સુબ્રમણ્યમ સ્વામી
અમદાવાદના પ્રવાસે આવેલા ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે, બ્રાહ્મણ અને શિડ્યુલ કાસ્ટના પણ DNA એક જ છે અને મુસ્લિમના પણ DNA એક જ છે.
નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે સ્વામી
ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી પોતાના નિવેદનને લઇને પણ ચર્ચામાં રહે છે. આ પહેલા પણ તેમણે વિવિધ શાબ્દિક પ્રયોગ કર્યા હતા જેને લઇને રાજકારણમાં ગરમાવો ફેલાયેલો રહે છે.