ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ કેેન્દ્રીય પ્રધાન સુબ્રમણ્યમ સ્વામીએ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાન પર હુમલો કર્યો છે. સ્વામીએ ઇમરાનને પોતાના દેશની જાસૂસી એજન્સી આઇએસઆઇનો પોપટ ગણાવ્યો છે.
ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે પાકિસ્તાની વડા પ્રધાન આઇએસઆઇની ભાષા બોલી રહ્યા છે. પોતાના સ્પષ્ટ નિવેદનો માટે જાણીતા સ્વામીએ સાથે સાથે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર કલમ-૩૭૦ હટાવવાની પણ વાત કહી.
સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે હવે માત્ર પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે)નો મુદ્દો બચ્યો છે. તે ભારતનો વિસ્તાર છે. કલમ-૩૭૦ની મોટા ભાગની જોગવાઇઓને હટાવ્યા બાદ કાશ્મીર પરની એક ચર્ચામાં ભાગ લેતા સ્વામીએ ખાનને કઠપૂતળી ગણાવ્યો અને આ તેમનો મત છે. તેમની પાર્ટીનો નહીં.
સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે હવે માત્ર એક મુદ્દો પીઓકે બચ્યો છે અને તે પણ ભારતનું ક્ષેત્ર છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાન પર બોલતાં સ્વામીએ કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાનનો સવાલ છે તો તે આઇએસઆઇની કઠપૂતળી છે. તેઓ આઇએસઆઇની ભાષા બોલનાર તેમનો પોપટ છે.