સ્વામી જાણે પક્ષથી નાખુશ હોય તેવું વર્તી રહ્યાં છે. એક તરફ ભાજપ દિલ્હી વિધાનસભામાં જીતનો દાવો કરી રહ્યું છે. અમિત શાહ 45 સીટનો દાવો કરી રહ્યા છે. ત્યારે પક્ષનાં દિગ્ગજ નેતા સુભ્રમણ્યમ સ્વામી AAPને જીતના મત મળી ગયા જેવા વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યાં છે.
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સ્વીકાર AAPને પર્યાપ્ત મત મળી રહ્યા છે
સ્વામીના ટ્વિટ પર AAP નેતા સંજય સિંહે આપ્યો જવાબ
સ્વામીએ નિર્મલા સીતારમનને નિશાન બનાવ્યા
સ્વામીએ AAPના જીતની વાત કરી
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સ્વીકાર્યું છે કે દિલ્હીમાં આપની જીત થશે. પરિણામ પહેલા સુબ્રમણ્યમ સ્વામીનો બફાટ. અમિત શાહ અને મનોજ તિવારી દિલ્હીમાં ચૂંટણી પહેલા આપની જીતનો દાવો કર્યો હતો. ત્યારે આજે ભાજપના જ નેતા સુભ્રમણ્યમ સ્વામીએ AAPને પર્યાપ્ત મત મળી રહ્યાં હોવાનું સ્વીકાર્યુ છે.
સ્વામીએ નિર્મલા સીતારમનને નિશાન સાધવાનો પ્રયાસ કર્યો
સ્વામીએ પોતાના મતનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, ‘મારા મત વિના પણ AAPને પુરતા મત મળી રહ્યાં છે. મારે ભાજપના કાર્યકર્તાઓની સાથે રહેવુ પડશે. બજેટની ગુગલી પછી તો ખાસ ભાજપ સાથે રહેવુ પડશે. એમ કહી તેમણે નાણામંત્રી નિર્મલા સીતારમન પર પણ નિશાનો સાધવાનો પ્રયાસ કર્યો હતો.
: Jhadu is getting enough vote without my vote . I have to stand by my BJP worker especially after the Budget googly
AAPનાં સંજયસિંહે વળતી ટ્વીટ કરી સ્વામીનો આભાર માન્યો
સ્વામીના આ બફાટ પછી તેમના ટ્વિટ પર AAP નેતા સંજય સિંહે જવાબ આપ્યો હતો. તેમણે લખ્યું હતું કે અંતે ભાજપ સાંસદે માન્યુ કે આવશે તો કેજરીવાલ જ. તેમજ તેમણે આ ટ્વીટમાં સ્વામીનો આભાર માન્યો હતો.
શું સ્વામી પોતાના પક્ષથી ના ખૂશ છે
શું સ્વામી પોતાના પક્ષથી ના ખુશ છે એવા અનેક સવાલો ઉઠી રહ્યાં છે. કેમ કે પહેલા કેમણે સરકારનાં એર ઈન્ડિયા વેચવાના નિર્ણય પર વિરોધ વ્યક્ત કર્યો. પછી તેમણે અર્થતંત્રને પાટે ચઢાવવા કરન્સી પર લક્ષ્મીનો ફોટો લગાવવાનો કટાક્ષ કર્યો. હવે નિર્મલા સીતારમન પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો. જ્યારે આ અમિત શાહ દિલ્હીમાં 45 સીટ મેળવી જીતનો દાવો કરી રહ્યાં છે ત્યારે સ્વામી આડકતરી રીતે AAPની જીત થવાની ટ્વીટ કરી રહ્યા છે.