ભાજપના રાજ્યસભાના સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીને અફસોસ છે કે મોદી સરકારમાં તેમના વિચારોને પ્રાધાન્ય આપવામાં આવતું નથી. તેમણે આ અંગે ટ્વિટ કરીને પોતાની નારાજગી વ્યકત કરતાં જણાવ્યું છે કે આ સ્થિતિમાં હવે હું ચીન જઇ શકું છું. તેમના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયાઓ વ્યકત કરવામાં આવી છે.
ડો. સુબ્રમણ્યમ સ્વામીના પ્રશંસકોએ તેમને નારાજગી છોડીને ચીન ન જવા અપીલ કરી છે. તો કેટલાક લોકોએ તેમને પૂછયું છે કે આખરે મામલો શું છે? મંગેશ નામના યુઝરે લખ્યું છે કે તમે રામમંદિર અને હિંદુ હિતો પર બોલવાનું છોડી દો તો બધા ખુશ રહેશે. તેના જવાબમાં સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું કે હું રામમંદિર મુદ્દે બોલવાનું કયારેય છોડી શકું નહીં.
China’s famous Tsinghua University has invited me to address in September a gathering of scholars to speak on “China’s Economic Development: A Review Of Last 70 years.” Since Namo is not interested in knowing my views I might as well go to China
વાસ્તવમાં ર૯ જૂને એક ટ્વિટમાં ડો.સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે ચીનની પ્રસિદ્ધ સિંધુવા યુનિવર્સિટીએ સપ્ટેમ્બરમાં મને સ્કોલર્સની સભામાં બોલવા માટે બોલાવ્યો છે. વિષય છે ચીનનો આર્થિક વિકાસઃ સાત વર્ષની સમીક્ષા. નમો મારા વિચારોને જાણવા માગતા નથી તેની હું ચીન જઇ શકું છું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ જાહેર નિવેદનો કરવાનું ટાળનાર ડો.સુબ્રમણ્યમ સ્વામીએ પ્રથમ વખત ટ્વિટમાં નમોનો ઉલ્લેખ કર્યો છે.