ભાજપના પૂર્વ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીને 6 અઠવાડીયાની અંદર પોતાનો દિલ્હીમાં આવેલો બંગલો ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે.
દિલ્હી હાઈકોર્ટમાં સુબ્રમણ્યમ સ્વામીએ અરજી કરી
સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ મળતા હાઈકોર્ટ પહોંચ્યા
રાજ્યસભાની ટર્મ પુરી થતાં બંગલો ખાલી કરવો પડશે
દિલ્હી હાઈકોર્ટે બુધવારે ભાજપના પૂર્વ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીને 6 અઠવાડીયાની અંદર પોતાનો દિલ્હીમાં આવેલો બંગલો ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. સ્વામીએ સુરક્ષાના દ્રષ્ટિએ સરકારી આવાસમાં રહેવાની માગ કરી હતી.
ન્યાયમૂર્તિ યશવંત વર્માને યોગ્ય ન લાગ્યું કારણ
ન્યાયમૂર્તિ યશવંત વર્માએ અરજીનું નિવારણ લાવતા કહ્યું કે, તેઓ 2016થી આ બંગલામાં રહે છે. તેમને આ બંગલો ફક્ત પાંચ વર્ષ માટે ફાળવવામાં આવ્યો હતો. જેનો સમયગાળો પુરો થઈ ગયો છે. કોર્ટને એવું કોઈ કારણ નથી દેખાતું કે, જેનાથી ઝેડ કેટેગરીની સુરક્ષા પ્રાપ્ત વ્યક્તિને સરકારી આવાસ ફરજિયાત હોય.
પાંચ વર્ષ માટે મળ્યો હતો બંગલો
સ્વામીને જાન્યુઆરી 2016માં પાંચ વર્ષ માટે કેન્દ્ર સરકાર તરફથી દિલ્હીમાં એક બંગલો આપવામાં આવ્યો હતો. તેઓ રાજ્યસભાના પુરા કાર્યકાળ દરમિયાન અહીં રહ્યા. તેમનો કાર્યકાળ આ વર્ષે એપ્રિલમાં ખતમ થઈ ગયો. તેમણે આવાસીય પરિસર ખાલી કરવાનું હતું. એટલા માટે સ્વામીએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો અને તેમને સતત સુરક્ષાનો ખતરો હોવાથી બંગલો ફરીથી આપવાની વાત કરી હતી.
કેન્દ્રએ સ્વામીની માગનો વિરોધ કર્યો
કેન્દ્ર સરકારે અરજીનો વિરોધ કરતા કહ્યું કે, ભલે સ્વામી પ્રત્યે સુરક્ષા ધારણાને ઓછી કરવામા આવી નથી, પણ સરકાર તેમને સુરક્ષા કવરની સાથે આવાસ આપવું યોગ્ય નથી. એસએસજી સંજય જૈન કેન્દ્ર તરફથી હાજર થયા અને કહ્યું કે, સરકાર વરિષ્ઠ નેતાઓના સમય સમય પર સમીક્ષાને આધિન સુરક્ષા આપે છે, પણ બંગલો ફરીથી ફાળવવો શક્ય નથી.
જૈને કોર્ટને કહ્યુ કે, તેમને દિલ્હીમાં એક ઘર છે. જ્યાં તેઓ શિફ્ટ થઈ શકે છે અને સુરક્ષા એજન્સીઓ ત્યાં તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શક્ય તમામ પગલા ઉઠાવી શકશે. સ્વામી માટે વરિષ્ઠ વકીલ જયંત મહેતા રજૂ થયા અને તર્ક આપ્યો કે, સુરક્ષાને ખતરાને જોતા પૂર્વ સાંસદ સાથે દરેક સમયે સુરક્ષા કર્મીએ સાથે રાખવા માટે આ ઘરની જરૂરિયાત છે.