દેશમાં ગત વર્ષે CAA કાયદો બન્યા બાદ અનેક જગ્યાઓ પર હિંસક પ્રદર્શન થયા હતા અને ઘણા લોકોના જીવ ગયા હતા. કોરોના વાયરસ મહામારીનો દેશમાં પગપેસારો થયો તે પહેલા CAA દેશનો એક મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો હતો. હવે આ ઘાતક મહામારીને લઇને દેશમાં 24 માર્ચથી લોકડાઉન લાગુ કરાયું છે, જેને લઇને દેશમાં લાખો-કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ દ્વારા કેન્દ્ર સરકારને ત્રણ સ્તર પરના સંકટને નિવારવા માટે સલાહ આપી છે. સ્વામીએ ટ્વિટ કરી કહ્યું છે કે ત્રણ સ્તર પર સંકટ છે, જેના પર એકશન લેવાની જરૂર છે. પહેલો નાગરિકતા સંશોધન કાયદો (CAA) ના વિરોધમાં કોમી ઉશ્કેરણી પર હિંસક આંદોલન પછી ઉભી થયેલી પરિસ્થિત પર.
બીજુ નાણા મંત્રાલય (MoF) માં નવા શીખેલાઓના કારણે ભારતીય અર્થવ્યવસ્થાની પરિસ્થિતિ. ત્રીજું છે કોરોના વાયરસ મહામારી. ટ્વિટમાં આગળ લખ્યું છે કે મોદી સરકારે એર ઇંડિયાને વેંચવાના રોમાંચમાંથી બહાર નીકળી આ ત્રણ મુદ્દાઓ પર ધ્યાન દેવાની જરૂરિયાત છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં ગત વર્ષે CAA કાયદો અસ્તિત્વમાં આવ્યા બાદ ઘણી જગ્યા પર હિંસક પ્રદર્શન થયા જેમાં ઘણા લોકોના જીવ ગયા. કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ દેશમાં જોવા મળ્યો તે પહેલા દેશમાં CAA એક અગત્યનો મુદ્દો બનેલો હતો.
જો કે ભારતમાં કોરોના વાયરસના પગલે 24 માર્ચથી લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું. જેને લઇને દેશમાં કરોડો રૂપિયાનું નુકસાન થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. કોરોનાના પગલે વિકાસ દર પણ વર્ષોના નીચલા સ્તર પર જોવા મળી રહ્યો છે.
Given crisis at 3 levels: 1) After effects of contrived and violent anti-CAA agitation on communal incitement 2) The tail spin of the Indian economy due to the MoF novices & 3) The C Virus pandemic, the Namo govt needs to focus-by forgetting adventures like selling off Air India
વિશ્વની રિસર્ચ તેમજ બ્રોકરેજ કંપની યૂબીએસ જણાવ્યું છે કે હાલના નાણાકીય વર્ષ (નાણાંકીય વર્ષ 2020-21)માં દેશનો GDP ગ્રોથ ઘટીને -0.4 ટકા સુધી આવી શકે છે. આ અગાઉ કંપનીએ આ નાણાંકીય વર્ષમાં દેશનો વિકાસ દર 2.5 ટકા રહેવાનું અનુમાન આપ્યું હતું.