ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે. ત્યારે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ધોનીને ચૂંટણી લડવાની સલાહ આપી હતી.
ભાજપના નેતાએ ધોનીને આપી સલાહ
રાજકારણમાં જોડાવાની આપી સલાહ
ધોની નક્કી કરશે તેનું ભવિષ્ય
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રવિવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર એમએસ ધોનીને સલાહ આપતા ટ્વિટ કર્યું કે, ધોની ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ રહ્યા છે, બીજી કોઈ વસ્તુથી નહીં. પડકારોથી લડવાની તેમની પ્રતિભા અને એક ટીમનું નેતૃત્વ કરવાની જે ક્ષમતા તેમણે ક્રિકેટમાં દર્શાવી છે, તેની જાહેર જીવનમાં જરૂર છે. તેમણે 2024માં લોકસભા ચૂંટણી લડવી જોઈએ.
M. S. Dhoni is retiring from Cricket but not from anything else. His talent-to be able to fight against odds and his inspiring leadership of a team that he has demonstrated in cricket is needed in public life. He should fight in LS General Elections in 2024.
તમને જણાવી દઇએ કે, ભારતીય ક્રિકેટ ટીમને પોતાની કેપ્ટન્સીના દમ પર ઊંચાઈ પર પહોંચાડનારા મહાન ક્રિકેટરોમાં સામેલ બે વારના વર્લ્ડ કપ વિજેતા ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. તેઓએ શનિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની જાહેરાત કરી. તેની સાથે હવે તેમના ભવિષ્યને લઈ ચાલી રહેલી અટકળો પર વિરામ મૂકાઈ ગયો છે.
પોતાની રમત અને કેપ્ટન્સીથી ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં અનેક સુવર્ણ અધ્યાય લખનારા મહેન્દ્ર સિંહ ધોનીના આ નિર્ણયની સાથે જ ક્રિકેટના એક યુગનો પણ અંત આવી ગયો છે. ધોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, અત્યાર સુધી આપના પ્રેમ અને સહયોગ માટે ધન્યવાદ.