રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પણ સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ અંગે ઘણી વાર પોતાના મંતવ્યો વ્યક્ત કરી ચૂક્યા છે.
આ જ મામલે હવે તેમણે બુધવારે એક ટ્વીટ કર્યું જેમાં તેમણે સુશાંતની હત્યા પાછળના શું કારણો હોઈ શકે છે તે અંગે જણાવ્યું હતું.
હાલમાં સોશ્યલ મીડિયામાં સુબ્રમણ્યણ સ્વામીનું સુશાંતની મોતના કારણોને લઈને ટ્વિટ ઘણું રિટ્વીટ થઈ રહ્યું છે અને ચાહકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સુશાંત એટલો હોશિયાર હતો કે બોલીવુડ દ્વારા તેમની અવગણના કરવી શક્ય નહોતી: સ્વામી
Motive 1 for murder of Sushant is now clear. He was too independent and too talented for the Bollywood cartel to ignore. They could not compete so eliminate him. Rest is Bollywood cinema type alibi. Motive 2 I will state later— it is political but I need more research
તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું, "સુશાંતની હત્યા પાછળનો પહેલો હેતુ સ્પષ્ટ છે. તે ખૂબ આત્મનિર્ભર હતો અને એટલો હોશિયાર હતો કે બોલીવુડ દ્વારા તેમની અવગણના કરવી શક્ય નહોતી. કારણ કે તેઓ તેનાથી સ્પર્ધા કરી શકતા ન હતા એટલે તેમણે આ રીતે સુશાંતને ખેલામાંથી જ બહાર કરી દીધો હતો. બાકી જે બધુ જે છે તે બૉલીવુડ સિનેમાનું બહાનું છે.
બીજું કારણ રાજકીય: સ્વામી
સ્વામીએ લખ્યું, "હું તમને પછીથી હત્યા પાછળનું બીજું કારણ કહીશ. તે થોડું રાજકીય છે પણ આ માટે મારે વધુ સંશોધન કરવું પડશે." એક તરફ, સ્વામીએ પોતાના આ નિવેદનથી એક નવો ખળભળાટ ઊભો કરી દીધો છે, જ્યારે તેમણે તેમના બીજા પોઈન્ટ માટે ઉત્સુકતા પણ ઊભી કરી દીધી છે. સ્વામી કોઈ રાજકારણી પર સીધો આરોપ લગાવશે કે નહીં તે સમય જતાં સ્પષ્ટ થશે.
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસના તાર સતત ડ્રગ માફિયાઓ સાથે જોડાઈ રહ્યા છે. આ મામલામાં રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શોવિક ઘેરાયેલા જોવા મળી રહ્યાં છે. બીજી તરફ, સીબીઆઈ, ઇડી અને એનસીબી વિવિધ પાસાઓ હેઠળ આ કેસમાં તપાસ કરી રહ્યા છે. રિયા ચક્રવર્તી અને પરિવારજનોની પણ સતત પૂછપરછ ચાલી રહી છે.