ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીને રાષ્ટ્રીય કારોબારીમાં સ્થાન આપવામાં ન આવ્યું. જેને લઈને તેમણે ટ્વવિટર પર કઈક અલગ રીતે પોતાની નારાજગી વ્યક્ત કરી છે
સુબ્રમણ્યમ સ્વામીને રાષ્ટ્રીય કારોબારીમાં શામેલ ન કરાયા
ટ્વીટર પર સુબ્રમણ્યમ સ્વામીને વ્યક્ત કરી નારાજગી
કારોબારીમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું
ભાજપે તેના નવા રાષ્ટ્રીય કારોબારી વરણી કરતી. તેમાં ઘણા દિગ્ગજ નેતાઓ એવા પણ છે કે જેમના નામ હવે રાષ્ટ્રીય કારોબારીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. વરુણ ગાંધી અને મેનકા ગાંધી સિવાય ભાજપે સુબ્રમણ્યમ સ્વામીને પણ રાષ્ટ્રીય કાર્યકરણમાં જગ્યા નથ આપી. જે લઈને સુબ્રમણ્ય સ્વામીએ કઈક અલગજ રીતે જવાબ આપ્યો છે.
ટ્વીટર પર વ્યક્ત કરી નારાજગી
ટ્વિટર પર તેમનો બાયો બદલીને તેમણે પોતાનો જવાબ આપ્યો છે. જેમા તેમણે પોતાને રાજ્યસભા સાંસદ, પૂર્વ કેબિનેટ મંત્રી, હાવર્ડથી અર્થશાસ્ત્રમાં પીએચડી અને પ્રોફેસર લખ્યું છે. સૌથી મોટી વાત એજ છે કે સુબ્રમણ્યમ સ્વામીએ તેમના બાયોમાં ભાજપનો ઉલ્લેખજ નથી કર્યો.
ટ્વીટર પર બન્યા ચર્ચાનું કેન્દ્ર
બાયોમાં તેમણે એવું પણ લખ્યું છે કે મે તમને એવુંજ આપ્યું જેવું મને મળ્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે તેમનો સીધો નિશાનો ભાજપ પર છે. સુબ્રમણ્યમ સ્વામીને રાષ્ટ્રીય કારોબારીમાંથી હટાવ્યા પછી ટ્વીટર પર તેમને લઈને ગણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. જેને લઈને હાલ સોશિયલ મીડિયામાં તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
મેનકા અને વરુણ ગાંધીને પણ બહાર કરાયા
ઉલ્લેખનીય થે કે ભાજપે 307 સદસ્યો સાથે રાષ્ટ્રીય કાર્યકરણીમાંથી મેનકા ગાંધી અને વરુણ ગાંધીને બહાર કરી દીધા છે. બંને નેતાઓ થોડાક દિવસોથી ભાજપની વિરુદ્ધમાં નિવેદન આપતા હતા. જોકે હવે ભાજપે નવા રાષ્ટ્રીય કાર્યકરણીઓમાં ઘણા નવા ચેહરાઓને પણ શામેલ કર્યા છે. આ કારોબારીની વરણી 2024ની ચૂંટણને લઈને કરવામાં આવી છે.