દેશમાં પેટ્રોલના અને ડિઝલના ભાવમાં સતત વધારે થઇ રહ્યો છે તો વળી કેટલાક શહેરો એવા પણ છે જેમાં પેટ્રોલ 90 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. આવા સમયે સામાન્ય લોકોની મુશ્કેલીમાં પડ્યા પર પાટું જેવા હાલ થયાં છે.
પેટ્રોલ-ડિઝલના ભાવ ભડકે બળ્યા
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને સરકાર પર સાધ્યું નિશાન
સ્વામી એ કહ્યું- 40 રૂપિયા પ્રતિ લીટરના ભાવે હોવું જોઇએ
ત્યારે હવે ભાજપને પોતાના જ નેતાએ રોકડું પરખાવ્યું હતું. ભાજપના પીઢ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ પેટ્રોલના વધી રહેલા ભાવને લઇને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
સ્વામીએ ટ્વીટ કરીને સાધ્યું નિશાન
ઉલ્લેખનીય છે કે, સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલના ભાવને લઇને સરકાર પર નિશાન તાકતા એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું કે, પેટ્રોલના ભાવ 90 રૂપિયા પ્રતિ લીટર પહોંચતા ભારત સરકાર દ્વારા દેશવાસીઓનું આશ્ચર્યજનક શોષણ છે. રિફાઇનરીમાં પેટ્રોલના ભાવમાં 30 રૂપિયા પ્રતિ લીટર છે. ત્યારબાદ તમામ પ્રકારના ટેક્સ અને પેટ્રોલ પંપ કમીશન મળીને 60 રૂપિયા સુધીનો વધારો થયો છે. ત્યારે મારી નજરમાં પેટ્રોલને સૌથી વધુ 40 રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી વેચવું જોઇએ.
Petrol price at Rs. 90 per litre is a monumental exploitation by GoI of the people of India. The price ex-refinery of petrol is Rs. 30/litre. All kinds of taxes and Petrol pump commission add up the remainder Rs.60. In my view petrol must sell at max. Rs. 40 per litre.
આપને જણાવી દઈએ કે મંગળવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 83.71 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 73.87 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 90.34 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.51 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલ 85.19 રૂપિયા અને ડીઝલ 77.44 રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નઇમાં પેટ્રોલની કિંમત 86.51 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 79.21 છે.
પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન
આ તરફ ગત રવિવારે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાની ધારણા વ્યક્ત કરી હતી કે પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન(OPEC) ના ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં વધારો કરવાના તાજેતરના નિર્ણય બાદ ઇંધણના ભાવ સ્થિર થશે. પ્રધાને વધુમાં કહ્યું હતું કે, 'ઓપેક એ બે દિવસ અગાઉથી નિર્ણય લીધો છે કે તે દરરોજ પાંચ લાખ બેરલ ક્રૂડ તેલના ઉત્પાદનમાં વધારો કરશે.