ગુજરાત વાલી મંડળે મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિતમાં રજૂઆત કરી છે FRCની નિયત ફીથી વધુ ઉઘરાવાયેલ ફી પરત કરવામાં આવે તેવી માગ કરી
નવા સત્રમાં શાળાઓમાં ફીમાં 50 ટકા માફી આપવામાં આવે
FRCની નિયત ફીથી વધુ ઉઘરાવાયેલ ફી પરત કરવામાં આવે
માસ પ્રમોશન મેળવનારની પરીક્ષા ફી પરત કરવામાં આવે
કોરોનાને વિશ્વમાં મંદી જેવો માહોલ છે દેશ અને દુનિયામાં પણ તેની અસર થઈ છે, ગુજરાતમાં કોરોના કેસ ભરડો લીધા બાદ હવે સ્થિતમાં થોડો સુધારો આવી રહ્યો છે જે જોતા હવે ધીમે ધીમે ઉદ્યાગ ધંધા ખૂલી રહ્યા છે, શાળાઓએ આગામી સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાનાર છે તે અંગે રાજ્ય સરકારને FRC લઈ વાલી મંડળે રજૂઆત કરી છે.
50 ટકા ફી માફીની વાલી મંડળની માગ
કોરોનાને લીધે હાલ વેપાર-ધંધા ઠપ્પ હોવાથી ધોરણ 1થી 12માં ફીમાં 50 ટકા માફી આપવામાં આવે તેવી માંગ સરકાર સમક્ષ કરી છે. કોરોનાને કારણે ધોરણ 1થી 12માં નવા શૈક્ષણિક વર્ષ 2021-2022માં સ્કૂલ ફીમાં 50 ટકા માફી આપવા માટે ઓલ ગુજરાત વાલી મંડળે રજૂઆત કરી છે. આ અંગે ઓલ ગુજરાત વાલી મંડળે મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિતમાં રજૂઆત કરી છે.
FRCની નિયત ફીથી વધુ ઉઘરાવાયેલ ફી પરત કરવામાં આવે
FRCની નિયત ફીથી વધુ ઉઘરાવાયેલ ફી પરત કરવામાં આવે તેવી માગ કરી છે. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું છે કે, દર વર્ષ શાળાઓ 40થી 50 ટકા ફી વધારે લેતી હતી તેની લઈને સરકાર FRCનો નિયમ લઈને આવ્યા હતા‘ 2017 થી 2020 દરમિયાન અનેક સ્કૂલોએ FRCથી વધુ ફી ઉઘરાવી છે તે ફી વર્ષ 2021-2022ના વર્ષમાં પરત કરવામાં આવે, હાઈકોર્ટ અને રાજ્ય સરકારના નિર્દેશ બાદ પણ સ્કૂલોએ ફી પરત કરી નથી ત્યારે ઓલ ગુજરાત વાલી મંડળે વધુ ઉઘરાવેલી ફી પરત કરવામાં આવે તેવી માંગ કરી છે. જો આ ફી પરત નહી મળે તો કોર્ટમાં કાર્યવાહી હાથ ધરવાની ચીમકી ઉચ્ચારી છે.
માસ પ્રમોશન મેળવનારની પરીક્ષા ફી પરત કરવામાં આવે
કોરોના સ્થિતિ સમક્ષા કર્યા બાદ સરકારે 1થી 11માં ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપેલું છે. હવે આગલા વર્ષમાં પ્રવેશ મેળવની કાર્યવાહી હાથ ધરાનાર છે ત્યારે વાલી મંડળે શાળામાં 50 ટકા ફી માફી કરવામાં આવે તેવી માગ કરી છે. આ સ્થિતિમાં 50 ટકા ઓછી ફી લેવામાં આવે તો વાલીઓને થોડી રાહત મળશે. ઉલ્લેખનીય છે કે ઓલ ગુજરાત વાલી મંડળે ગત અઠવાડિયે ધોરણ 10માં માસ પ્રમોશન મેળવનારા આશરે ચાર લાખ વિદ્યાર્થીઓની આશરે રૂ. 14 કરોડની પરીક્ષા ફી પરત કરવા માટેની માગણી કરી હતી. આ અંગે રાજ્ય સરકારમાં લેખિતમાં રજૂઆત પણ કરી હતી.