નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે આપદા પ્રબંધન પુરસ્કારની જાહેરાત કરી હતી. PM modi ના હાથે લોકોને 5 લાખ અને સંસ્થાઓને 51 લાખ રૂપિયા પુરસ્કાર અપાયો હતો.
સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર
કેન્દ્ર સરકારે 2022 માટે આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે Subhas Chandra Bose Aapda Prabandhan Puraskar ની જાહેરાત કરી છે. ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (GIDM) અને સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SSDMA) ના વાઈસ-ચેરમેન વિનોદ શર્માને આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે 2022 માટે સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર આપવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું નિવેદન
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જીઆઈડીએમને સંસ્થાકીય કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યા છે જ્યારે શર્માને વ્યક્તિગત કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યા છે. દેશમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે અમૂલ્ય યોગદાન અને નિઃસ્વાર્થ સેવાને માન આપવા માટે કેન્દ્ર સરકારે સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન વાર્ષિક પુરસ્કારની શરૂઆત કરી હતી.
Prime Minister Narendra Modi confers the Subhas Chandra Bose Aapda Prabandhan Puraskars, for the years 2019, 2020, 2021 and 2022 pic.twitter.com/9z9Zcof6UC
આ એવોર્ડની જાહેરાત 23 જાન્યુઆરીએ કરવામાં આવશે
તમને જણાવી દઈએ કે આ એવોર્ડની જાહેરાત દર વર્ષે 23 જાન્યુઆરીએ સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ પર કરવામાં આવે છે. આ અંતર્ગત સંસ્થાને 51 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે જ્યારે વ્યક્તિને 5 લાખ રૂપિયા અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.
2021 થી નોંધણી માંગવામાં આવી હતી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષના પુરસ્કાર માટે 1 જુલાઈ, 2021 થી નામાંકન માંગવામાં આવ્યા હતા અને સંસ્થાઓ અને વ્યક્તિઓ તરફથી કુલ 243 માન્ય નામાંકન પ્રાપ્ત થયા હતા.
પીએમ મોદીએ એવોર્ડ આપ્યો
વર્ષ 2019, 2020 અને 2021ના એવોર્ડ વિજેતાઓની સાથે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજીની 125મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે યોજાનાર સન્માન સમારોહમાં આ વર્ષના વિજેતાઓને પણ પુરસ્કાર આપ્યો હતો. આ સિવાય પીએમ મોદીએ ઈન્ડિયા ગેટ પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું.