ઓમીક્રોન બાદ આવ્યો નવો વેરિએન્ટ, BA.2 વેરિએન્ટ ઓમીક્રોનનો સબ વેરિએન્ટ, ઓમીક્રોન કરતા પણ 30 ઘણી ઝડપે ફેલાય છે.
દુનિયા કોરોના મહામારીથી પરેશાન
ઓમીક્રોનનો સબવેરિએન્ટ એન્ટ્રી
30 ગણો ઝડપી ફેલાય છે BA.2
કોરોના હજી ગયો નથી. દેશમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. તેમાં પણ ઓમીક્રોન વેરિએન્ટને કારણે કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. મહામારી સામે ઝઝૂમી રહેલી આ દુનિયા સામે વધુ એક વેરિએન્ટનો પગપેસારો થયો છે. આ ઓમીક્રોન વેરિએન્ટનું સબ વેરિએન્ટ છે. થોડા સમય પહેલા દ.આફ્રિકામાં આ નવો સ્ટ્રેન જોવા મળ્યો અને ધીરે ધીરે વિવિધ દેશોમાં તે ફેલાઇ રહ્યો છે.
ઓમીક્રોનનો સબવેરિએન્ટ BA.2
ડેનમાર્કમાં કરાયેલા અભ્યાસ અનુસાર, ઓમિક્રોનનો નવો સબ-વેરિઅન્ટ BA.2 ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ અભ્યાસમાં, સંશોધકોએ એવી ચિંતા પણ વ્યક્ત કરી છે કે જો કોઈ વ્યક્તિ અગાઉ ઓમિક્રોનથી હળવા લક્ષણો સાથે સંક્રમિત થઈ હોય, તો પણ તેઓ આ નવા સબ-વેરિઅન્ટ BA.2 સામે લડવા માટેની ઇમ્યુનિટી નહી હોય.
30 ગણો ઝડપી ફેલાય છે BA.2
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટ ba.2 થી સંક્રમિત થનારા 39% લોકો તેમના ઘરો અથવા વર્ક પ્લેસ પર લોકોને ચેપ લગાવી શકે છે. જ્યારે ઓમિક્રોનના જૂના વર્ઝનના કિસ્સામાં આ દર માત્ર 29 ટકા હતો. વૈજ્ઞાનિકોએ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ડેનમાર્કમાં 8,541 ઘરોમાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ કર્યું હતું જે સૂચવે છે કે ઓમિક્રોનનો નવો સબ-વેરિઅન્ટ એક મોટી ચિંતા બની શકે છે.
એન્ટીબોડી BA.2વેરિએન્ટના ચેપથી ન બચાવી શકે
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનથી વ્યક્તિના શરીરમાં એન્ટિબોડીઝનો વિકાસ તેના પર નિર્ભર કરે છે કે તેનો ચેપ કેટલો ગંભીર છે. એવું જોવામાં આવ્યું છે કે રસી લેનાર મોટાભાગના લોકો આ વાયરસથી સંક્રમિત થાય તો તેને કોઇ ગંભીર અસર જોવા મળતી નથી. પરંતુ વૈજ્ઞાનિકોનું તારણ એવુ છે કે જે વ્યક્તિને ઓમીક્રોન થયો હોય તેનામાં વિકસિત થયેલી એન્ટિબોડી ભવિષ્યમાં ચેપ થવા સામે રક્ષણ આપી શકતી નથી.
BA.2 વેરિએન્ટના લક્ષણો
માથાનો દુઃખાવો થવો
નાક ટપકવું
થાક લાગવો
સતત ઉધરસ આવવી
શ્વાસ લેવામાં તકલીફ પડવી
શરીરમાં દુખાવો થવો
ગળામાં દુખાવો થવો
ઉલટી-ઝાડા થવા
સ્વાદ કે ગંધમાં ઘટાડો થવો
57 દેશોમાં જોવા મળ્યો BA.2 વેરિએન્ટ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે ઓમિક્રોનનું સબ-વેરિયન્ટ ba.2 મૂળ સંસ્કરણ કરતાં પણ વધુ ચેપી હોઈ શકે છે. તે વિશ્વના અને વિશ્વના 57 દેશોમાં જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં, જો તમને લક્ષણો લાગે તો પરીક્ષણ કરાવવું મહત્વપૂર્ણ છે. અને પછી ડૉક્ટર પાસે સારવાર લેવાની જરૂર છે.