શું તમે એવું સાંભળ્યું છે કે કરન્સી નોટ તમને બિમાર પાડી શકે છે? તમે કહેશો એવું કેવી રીતે થઇ શકે છે. પરંતુ આ પ્રશ્ન નાના વેપારીઓના દેશવ્યાપી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીને પૂછ્યું હતું. સંગઠને આવું એટલા માટે પૂછ્યું કારણ કે શોધ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કરન્સી નોટ ઘણા પ્રકારની બિમારીઓને આમંત્રણ આપે છે. સંગઠનનું કહેવું છે કે જો આ દાવો સાચો છે તો આ બિમારીઓથી બચાવનો ઉપાય હોવો જોઇએ.
રિપોર્ટ્સ અનુસાર કરન્સી નોટ ઘણા બધા હાથથી થઇને તમારી સુધી પહોંચે છે. જેમાં ગંભીર બિમારીઓથી ગ્રસ્ત લોકો પમ સામેલ છે. આ કારણથી કરન્સી નોટ ઘણા પ્રકારના કીટાણુઓના સંપર્કમાં આવે છે. જેનાથી હંમેશા બિમારીઓ ફેલાવવાનો ખતરો બની રહે છે. કેટે પત્રની એક કોપી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી દેપી નડ્ડા અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી ડો. હર્ષવર્ધનને પણ મોકલી છે. સંગઠનનું માનવું છે કે સરકાર ઉપરાંત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને આગળ આવવું જોઇએ.
સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયાએ કહ્યું જો આ શોધ રિપોર્ય સાચો છે તો કરન્સી નોટ માત્ર વેપારીઓ માટે નહીં પરંતુ સામાન્ય નાગરિક માટે પણ ખતરનાક છે. એક સંસ્થાના શોધમાં કરન્સી નોટોમાં 78 પ્રકારકની બિમારીઓ ફેલાવનારા બેક્ટેરિયા મળ્યા છે. એમાં મોટાભાગે પેટ ખરાબ થવું ટીબી અને અલ્સર જેવી બિમારીઓ ફેલાતા બેક્ટેરિયા મળી આવ્યા છે.
જાપાન અને યૂરોપના ઘણા દેશોએ નોટોને મશીનો દ્વારા બેક્ટેરિયા મુક્ત કરવાની વ્યવસ્થા કરી છે.