કોરોનાના દુષ્પ્રભાવને લઇને એક રિસર્ચમાં મોટો દાવો કરાયો છે કે કોરોનાના દર્દીઓને સ્ટ્રોકનો ખતરો વધુ જોવા મળી રહ્યો છે.
કોરોના વાયરસનો કહેર
કોરોનાને લઇ રિસર્ચમાં દાવો
કોરોનાથી સ્ટ્રોકનો ખતરો વધુ
અમેરિકન સ્ટ્રોક એસોસિએશન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્ટ્રોક કોન્ફરન્સમાં વિશેષજ્ઞોનું નિવેદન છે કે '' અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓ પર રિસર્ચ કરાયું'' છે અને તેમાં જાણવા મળ્યું છે કે કોરોના માત્ર શ્વસનથી જોડાયેલી બીમારી નથી, પરંતુ વાસ્કુલર બીમારી પણ છે.
આખા શરીરને કરે છે અસર
કોરોના શરીરના અન્ય અનેક અંગોને પણ પ્રભાવિત કરે છે. હોસ્પિટલમાં દાખલ 20 હજાર દર્દીઓમાંથી 281ને ઇસ્મીક સ્ટ્રોકની પુષ્ટી હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય 7 દર્દીઓમાં ટીઆઇએ અને 127 દર્દીઓમાં બ્લીડિંગ સ્ટ્રોક હોવાનું જાણવા મળ્યું છે. તો 60થી ઉપરની ઉંમરના પુરુષોને સ્ટ્રોકનો વધુ ખતરો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ બીમારી વાળા દર્દીઓને સ્ટ્રોકનો ખતરો વધુ
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સ્ટ્રોકના વધારે કેસ 64 ટકા પુરુષો સાથે જોડાયેલા છે. તેમની ઉંમર 65 વર્ષથી વધારેની હતી. આ સાથે એટેકવાળા 41 ટકા દર્દીઓ ટાઈપ ટૂ ડાયાબિટિસ સામે લડી રહ્યા હતા અને તેમાંથી 80 ટકા દર્દીઓને હાઈ બીપીની ફરિયાદ પણ હતી.