દુનિયાભરમાં કોરોનાના દર્દીની સૂંઘવાની ક્ષમતા ખતમ થઈ જાય છે. જ્યારે કોઈ અન્ય લક્ષણ દેખાતા નથી. દુનિયાભરના વૈજ્ઞાનિક અને ડોક્ટર્સ રિસર્ચ કરી રહ્યા છે. અમેરિકાના જોન હોપકિન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે તેઓએ એ વાત શોધી છે કે શા માટે દર્દીની સૂંઘવાની ક્ષમતા ખતમ થઈ જાય છે.
કોરોના દર્દીને લઈને સામે આવ્યું તારણ
વૈજ્ઞાનિકોએ શોધ્યું મોટું કારણ
આ કારણે સૂંઘવાની ક્ષમતા થાય છે ખતમ
રિસર્ચમાં શું સામે આવ્યું
શોધકર્તાએ કહ્યું તે નાકનો જે ભાગ સૂંઘવામાં મદદ કરે છે ત્યાં એજિયોટેનસિનનું લેવલ વધી જાય છે. તેને એન્જાઇમનો કોરોના સંક્રમણનું એન્ટ્રી પોઈન્ટ માનવામાં આવે છે. કોરોના વાયરસ શરીરની કોશિકામાં જઈને સંક્રમણ ફેલાવે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે એજિંયોટેનસિનનું લેવલ આ અન્ય બાકી ભાગની સરખામણીએ 200થી 700 ગણું વધે છે.
આ રીતે કરાયું રિસર્ચ
રિસર્ચ કહે છે કે વૈજ્ઞાનિકે નાકની પાછળના ભાગથી 23 દર્દીના સેમ્પલ લીધા. મુખ્ય રીતે નાકની ઉપરના ભાગથી લેવાયા છે. તેને એન્ડોસ્કોપિક સર્જરી સમયે હટાવવામાં આવે છે. આ દરેક દર્દી કોરોના વાયરસથી સંક્રમિત નથી. ત્યારપછી અન્ય કેટલાક સેમ્પલ કોરોના દર્દીના પણ લેવાયા. બંનેની તુલના કર્યા બાદ ખ્યાલ આવ્યો કે જે લોકો કોરોનાથી સંક્રમિત છે તેમાં એંજિયોટેનસિનનું સ્તર 200-700 ગણું વધારે છે.
આ છે રિસર્ચનો ફાયદો
મળતી માહિતી અનુસાર અત્યારસુધીના રિસર્ચથી જાણવા મળ્યું છે કે આ ભાગથી કોરોના વાયરસની એન્ટ્રી શરીરના અન્ય ભાગમાં થયા છે. હવે લેબમાં વધારે પ્રયોગ કરાય છે. જેનાથી આ કોશિકાઓનો ઉપયોગ શરીર સુધી પહોંચવા અને સંક્રમિત કરવા માટે કરાય છે. જો આવું છે તો અમે એન્ટી વાયરલ થેરાપીની મદદથી સંક્રમણથી બચવામાં સક્ષમ બની શકે છે.