ન્હાતી વખતે ઘણાં લોકો ઠંડા પાણીનો ઉપયોગ કરે છે. તો ઘણાં લોકો એવા હોય છે, જે 12 મહિના ગરમ પાણીથી ન્હાવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે ગરમ પાણીથી ન્હાતા લોકો માટે ઠંડા પાણીથી સ્નાન કરીને દિવસની શરૂઆત કરવુ ખૂબ મુશ્કેલ રહે છે.
જો ગરમ પાણીથી ન્હાતા હોય તો હવે છોડી દેજો
ઠંડા પાણીથી ન્હાવાથી થાય છે ઘણા ફાયદા: અભ્યાસ
શારીરીક અને માનસિક લાભ પણ થાય છે
ઠંડા પાણીથી ન્હાતા લોકોની ઈમ્યુનિટી સ્ટ્રોંન્ગ
જો તમે પણ ગરમ પાણીથી ન્હાવો છો તો તમારી ન્હાવાની આદતને તાત્કાલિક બદલી નાખો. તાજેતરમાં સામે આવેલા અભ્યાસમાં સામે આવ્યું છે કે ઠંડા પાણીથી ન્હાતા લોકોમાં ગરમ પાણીથી ન્હાનારા લોકો કરતા વધારે ઈમ્યુનિટી હોય છે. અભ્યાસમાં એવુ પણ જણાવવામાં આવ્યું છે કે ઠંડા પાણીથી ન્હાતા લોકો અપેક્ષા કરતા ઓછા બિમાર પડે છે. કહેવાય છે કે ઠંડા પાણીથી ન્હાવાથી શારીરીક અને માનસિક પણ લાભ પણ થાય છે.
ઠંડા પાણીથી ન્હાતા લોકોએ ઓછી રજા લીધી
બ્રિટનની હર્ટફોર્ડશાયર યુનિવર્સિટીમાં રીડર ઈન એક્સરજાઈઝ એન્ડ હેલ્થ સાઈકોલોજીની લિન્ડે બોટમ્સ હેટફીલ્ડ કહે છે કે નેધરલેન્ડમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે ઠંડા પાણીથી ન્હાતા લોકોએ બિમાર ઓછા પડતા રજા ઓછી લીધી. આ અભ્યાસ ત્રણ હજાર લોકો પર કરવામાં આવ્યો. દરેક લોકોને ચાર સમુહોમાં વેચવામાં આવ્યા હતા. એક સમુહને દરરોજ ગરમ પાણીથી ન્હાવા માટે કહેવામાં આવ્યું. જ્યારે બીજા સમુહને 30 સેકન્ડ માટે ઠંડા પાણીથી ન્હાવા માટે કહેવામાં આવ્યું. તો ત્રીજા સમુહને 60 સેકન્ડ અને ચોથા સમુહને 90 સેકન્ડ માટે ઠંડા પાણીથી ન્હાવા માટે કહેવામાં આવ્યું. એક મહિના સુધી દરેકને આવુ કરવા માટે કહેવામાં આવ્યું.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે સમુહ ઠંડા પાણીથી ન્હાતા હતા. તેમને બિમારીને કારણે કામમાંથી રજા લેવા મામલે 29 ટકાનો ઘટાડો આવ્યો. રસપ્રદ વાત એ છે કે ઠંડા પાણીથી ન્હાતી વખતે સમયમાં કોઈ અંતર ના પડ્યુ. જોકે, ઠંડા પાણીથી ન્હાતા લોકો બિમાર કેમ ઓછા પડે છે, તેનું કારણ હજી સ્પષ્ટ થયુ નથી. પરંતુ અમુક સંશોધકોનું માનવુ છે કે તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
હવે વધુ અભ્યાસની જરૂર નથી
મધ્ય યુરોપમાં સ્થિત ચેક ગણરાજ્યના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું કે જ્યારે યુવા એથ્લીટોને છ અઠવાડિયા માટે દર અઠવાડિયે ત્રણ વખત ઠંડા પાણીથી ન્હાવાનું કહેવામાં આવ્યું તો તેની રોગપ્રતિકારક ક્ષમતામાં થોડો સુધારો થયો. ઉલ્લેખનીય છે કે, આ વાતની પુષ્ટિ કરવા માટે હવે વધુ અભ્યાસની જરૂર નથી.