દેશની આર્થિક રાજધાની મુંબઈ ડૂબવાની આશંકા વ્યક્ત થઈ ચુકી છે. બે અલગ અલગ રિસર્ચમાં દાવા કરવામાં આવ્યા છે કે મુંબઈ દર વર્ષે સરેરાશ 2 અને 28.8 મીમીની ગતિએ સરકતી જાય છે.
આર્થિક રાજધાની મુંબઈ માટે માઠા સમાચાર
બે અલગ અલગ રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા
દર વર્ષે મુંબઈ ધીમે ધીમે પાણીમાં ગરકાવ થઈ રહી છે
દેશની આર્થિક રાજધાની મુંબઈ ડૂબવાની આશંકા વ્યક્ત થઈ ચુકી છે. બે અલગ અલગ રિસર્ચમાં દાવા કરવામાં આવ્યા છે કે મુંબઈ દર વર્ષે સરેરાશ 2 અને 28.8 મીમીની ગતિએ સરકતી જાય છે. સ્ટીડમાં તેની પાછળ ભૂગર્ભીય ઘટનાને જવાબદાર ગણવામાં આવી રહી છે. જેને લેંડ સબ્સિડેંસ પણ કહેવામા આવે છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે, શહેરમાં પુર વધવાનો ખતરો છે. પહેલો રિપોર્ટ અમેરિકાના જિયોફિઝિકલ રિસર્ચ લેટર્સ જર્નલ તરફથી રજૂ કરવામાં આવ્યો છે, જ્યારે માર્ચમાં પ્રકાશિત આ સ્ટડી દરમિયાન 99 દેશોમાં લેન્ડ સબ્સિડેંસનું અવલોકન કરવામાં આવ્યું હતું.
આ સ્ટડી અનુસાર, ચીનનું તિંઆંજિન શહેર સૌથી વધારે ઝડપથી ડૂબી રહ્યું છે. તેના સરકવાની સ્પિડ 5.2 સેમી વાર્ષિક છે. જિયોફિજિકલ રિસર્ચ લેટર જર્નલમાં છપાયેલ સ્ટડીમાં દુનિયાના 99 દેશોના 2016થી 2020ના સેટેલાઈટ ડેટાનું ઈંસાર મેથડથી અધ્યયન કરીને પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. દેશની આર્થિક રાજધાની મુંબઈ પર ડૂબવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. બે અલગ અલગ રિપોર્ટમાં આ વાત સામે આવી ચુકી છે.
IIT બોમ્બેના રિપોર્ટમાં દાવો
બીજા રિસર્ચ રિપોર્ટ આઈઆઈટી બોમ્બે તરફથી રજૂ કરવામાં આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, મુંબઈ દર વર્ષે નીચે સરકતું જાય છે. આઈઆઈટી મુંબઈના ક્લાઈમેટ સ્ટડીઝને લઈને હાલમા જ આવેલા એક રિપોર્ટમાં આ ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, મુંબઈમાં સરેરાશ 28.8 મિલી મીટર પ્રતિ વર્ષની ગતિએ જમીન સરકી રહી છે. આઈઆઈટી મુંબઈના રિપોર્ટમાં દાવો તો ત્યાં સુધી કરવામાં આવ્યો કે, મુંબઈના અમુક વિસ્તારોમાં આ ગતિ 28.8 મીમીથી પણ વધારે છે. રિપોર્ટમાં સૌથી વધારે ચિંતા મુંબઈના નિચાણવાળા વિસ્તારને લઈને કરવામાં આવી છે. જે વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં ભાયખલા, કોલાબા, ચર્ચગેટ, કુર્લા, અંધેરી, દાદર, વડાલા તાડદેવ, ટ્રોમ્બે અને ગોવંડી જેવી અમુક વિસ્તાર છે.
આવનારા સમયમાં મુંબઈમાં ખતરો વધશે
મુંબઈમાં અંધેરીનો એક વિસ્તાર છે, જે સબવે છે. અંધેરી સબવે અંધેરી ઈસ્ટ, અંધેરી વેસ્ટને જોડવાનું કામ કરે છે. વરસાદના દિવસોમાં આ જ સબવેની નીચે ઘુંટણસમા પાણી ભરાઈ જાય છે. વરસાદ દરમિયાન વાહનવ્યવહાર ખૂબ જ પ્રભાવિત થાય છેચ. અંધેરી સબવેથી થોડી દૂર જ દરિયો આવેલો છે. ત્યારે આવા સમયે વરસાદના દિવસોમાં અહીં ખતરો વધી જાય છે. નિષ્ણાંતો જણાવે છે કે, શહેરમાં જો ઈંફ્રાસ્ટ્રક્ચર અને કનનના કામ પર રોક લગાવામાં નહીં આવે તો, આવનારા સમયમાં મુંબઈ માટે ખતરો વધી જશે.