કોરોનાની રસીને લઈને લોકોના મનમાં અનેક પ્રકારની ગેરસમજો થતી હોય છે. તેમાં એવી અફવા ઉડી હતી કે કોવિડ-19 વેક્સિન વજન પ્રમાણે અસર કરે છે.
લોકોના મનમાં કોરોના રસીને લઈને અનેક ગેરમાન્યતાઓ
ડોક્ટરોએ વજન અને બીએમઆઈને લઈને કર્યો ખુલ્લાસો
બધા જ લોકો પર એકસરખી અસર કરે છે વેક્સિન
કોવિડ-19 વેક્સિન વિશેની ગેરમાન્યતાઓ
કોરોના વેક્સિનને લઈને લોકોના મનમાં અનેક પ્રકારની ગેરસમજો હોય છે. આ જ સંદર્ભમાં એવી અફવા ઉડી હતી કે કોવિડ-19 વેક્સિન વજન પ્રમાણે પણ અસર કરે છે. એટલે કે જેનું વજન ઓછું તેના પર ઓછી અસર કરે છે અને જેનું વજન વધારે હોય તેના પર વધુ અસર કરે છે. પરંતુ આવી તમામ ચર્ચાઓને ઈંગ્લેન્ડના ડોક્ટરોની ટીમે એક અભ્યાસ બાદ નકારી કાઢી છે. આ અભ્યાસમાં સામે આવ્યું છે કે કોરોનાની રસી દરેક દર્દીને ગંભીર રીતે બીમાર થવાથી બચાવે છે, પછી ભલે તેના શરીરનું વજન ગમે તેટલું હોય.
90 લાખ પુખ્ત વયના લોકોનો અભ્યાસ
ઇંગ્લેન્ડમાં 90 લાખ પુખ્ત વયના લોકો પર થયેલા અભ્યાસ બાદ ડોક્ટરો આ તારણ પર પહોંચ્યા છે. આ અભ્યાસ અહેવાલ શુક્રવારે 'ધ લાન્સેટ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રિનોલોજી'માં પ્રકાશિત થયો હતો. સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે આ રસી એવા લોકો પર પણ એટલી જ અસરકારક છે જેમની બોડી માસ ઇન્ડેક્સ વધુ છે અને તેનું વજન વધુ હતું.
તમામ વજનના લોકોના જીવ બચાવે છે
અભ્યાસનો ભાગ રહેલા યુકેની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના કાર્મેન પિયરનાસે કહ્યું, "અમારા પરિણામો પુરાવા પૂરા પાડે છે કે કોરોના રસી તમામ વજનના લોકોનો જીવ બચાવે છે. અમારા પરિણામો મેદસ્વીપણાથી પીડાતા લોકોને ખાતરી આપે છે કે કોવિડ -19 વિરોધી રસીઓ તેમનાથી ઓછી બીએમઆઈ ધરાવતા લોકો જેટલી જ અસરકારક છે અને રસીકરણ પછી જ્યારે તેઓ કોરોનાવાયરસથી ચેપ લાગે છે ત્યારે ગંભીર રીતે બીમાર થવાનું જોખમ ઓછું થાય છે, "ટીમનો ભાગ રહેલા સંશોધકોએ જણાવ્યું હતું. જે લોકોએ રસી લીધી છે તેવા તંદુરસ્ત અને ઉચ્ચ બીએમઆઈ જૂથોની રસીના ડોઝ ન લેનારા લોકો કરતા હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના લગભગ 70 ટકા ઓછી છે. આ માટે ટીમે ઘણા લોકો પર રિસર્ચ પણ કર્યું હતું.