કોરોના સંક્રમણ પહેલા ડાયાબિટીઝ ન હોય અને સંક્રમણની સારવાર બાદ પણ ઘણા લોકોમાં જોવા મળ્યા ડાયાબિટીઝના લક્ષણો
કોરોનાના કારણે થાય છે ડાયાબિટીઝ?
મનુષ્યના અસ્તિત્વને ખતમ કરી નાખશે કોરોના?
જાણો ડાયાબિટીઝ અને કોરોના વચ્ચે શું છે કનેક્શન?
Covid-19થી ડાયાબિટીઝ થઈ શકે છે. એક નવી સ્ટડીમાં આ વાત સામે આવી છે. કોરોના વાયરસ પેન્ક્રીયાઝ પર સીધો હુમલો કરે છે. તેની અંદર ઈસુલિન બનાવતી કોશિકાઓને નષ્ટ કરી દે છે. તેના કારણે માણસને ડાયાબિટીઝ થવાની આશંકા વધી જાય છે. ગયા વર્ષે વસંતની સીઝનમાં ન્યૂયોર્ક શહેરમાં જે લોકો કોવિડ-19થી સંક્રમિત હતા. તેમના લોહીમાં શુગરનું લેવલ વધેલું જોવા મળ્યું હતું. જેને હાઈપરગ્લાસીમિયા કહેવામાં આવે છે. આ ડાયબિટીઝનું શરૂઆતી લક્ષણ માનવામાં આવે છે.
વીલ કોર્નલ મેડિસિનમાં સ્ટેમ સેલ બાયોલોજીસ્ટ શુઈબિંગ ચેને કહ્યું કે, મારી ટીમે જોયું કે કોરોનાથી સંક્રમિત અમુક દર્દીઓના લોહીમાં શુગરનું પ્રમાણ વધેલું હોય છે. આશ્ચર્યની વાત તો એ છે કે એ લોકોમાં પણ તેની અસર જોવા મળી જેમની મેડિકલ હિસ્ટ્રીમાં ડાયાબિટીઝનું નામોનિશાન નથી. એવા પણ દર્દી હતા જેમને કોરોના સંક્રમણ પહેલા ડાયાબિટીઝ ન હતો. પરંતુ સંક્રમણ બાદ તેમને ડાયાબિટીઝ થઈ ગયો અને આવું કોરોના સંક્રમણમાંથી રિકવર થયા બાદ થયું હતું.
કોરોના વાયરસ સૌથી વધુ નુકશાન ફેફસાને પહોંચાડે છે અને શ્વાસ લેવાની પ્રણાલીને નુકસાન પહોંચાડે છે. તેનાથી એક્યૂટ રેસ્પિરેટકી ડિસ્ટ્રેસ થઈ જાય છે. પરંતુ તેના કારણે ડાયાબિટીઝ જેવી ક્રોનિક બિમારીઓ કઈ રીતે અને કેમ થઈ રહી છે. આ દરેક વૈજ્ઞાનિકો અને ડોક્ટરો માટે એક રહસ્ય છે.
15 ટકા લોકોને સંક્રમણ વખતે અથવા બાદમાં ડાયાબિટીઝનો ખતરો
કેનેડાના મેક્માસ્ટ યુનિવર્સિટીમાં પોપ્યુલેશન હેલ્થ રિસર્ચર ટી.સતીશ કહે છે કે તેમને ગયા વર્ષે એક સ્ટડી કરી હતી. જે આખી દુનિયામાં બિમાર પડેલા કોરોના દર્દીઓના સંબંધિત હતા. તેમાં સતીશે જોયું કે કોરોના સંક્રમિત લોકોમાંથી 15 ટકા લોકોને સંક્રમણ વખતે અથવા ત્યાર બાદ ડાયાબિટીઝની મુશ્કેલી થાય છે. જેમનું શુગર લેવલ પહેલાથી બોર્ડર લાઈન પર હતું. તેમના માટે ડાયાબિટીઝનો ખતરો સંક્રમણ બાદ વધારે થઈ ગયો હતો.
30 ટકા લોકોને ડાયાબિટીઝ થવાનો ખતરો
સતીશે જણાવ્યું કે હાર્વર્ડ મેડિકલ સ્કૂલના એડોક્રાઈનોલોજીસ્ટ પાઓલો ફિયોરિનાએ ઈટલીના હોસ્પિટલમાં દાખલ 551 કોવિડ દર્દીઓની તપાસ કરી. તેમાંથી લગભગ અડધા હાઈપરગ્લાઈસીમિયાના શિકાર હતા. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના બાયોકેમિસ્ટ પીટર જેકસને કહ્યું કે કોરોના વાયરસના કારણે ગંભીર રૂપથી સંક્રમિત લોકોમાં 30 ટકા લોકોને ડાયાબિટીઝ થવાનો ખતરો રહે છે. તેની જાણકારી મેળવવા માટે શુઈબિંગ ચેન અને પીટર જેકસનને નવી સ્ટડી કરી.
ચેને અને જેકસનની સ્ટડીમાં આ વાતની સ્ટડી કરવામાં આવી રહી હતી કે કઈ રીતે SARS-CoV-2 હાઈપરગ્લાઈસીમિયાને વધારે છે. જોન્સ હોપકિંસ ડિવિઝન ઓફ ઈન્ડોક્રાઈનોલોજી, ડાયાબિટીઝ અને મેટાબોલિઝમમાં મેડિસિનની એસોસિએટ પ્રોફેસર રીતા કલ્યાણીએ જણાવ્યું કે ચેન અને જેકસનની સ્ટડીથી એવું જાણવા મળે છે કે કઈ રીતે કોરોના વાયરસ હાઈપરગ્લાઈસીમિયા વધીને ડાયાબિટીઝનો શિકાર બને છે.
કોરોના વાયરસ અલગ અલગ લોકોના શરીરમાં અલગ અલગ અસર કરે છે
જરૂરી નથી કે દરેકને એક જેવી જ બિમારીઓ થાય અમુક લોકોને હલ્કા લક્ષણ દેખાય છે અમુક લોકોને ગંભીર. એ વાત પણ સાબિત થઈ ચુકી છે કે આ વાયરસ ફક્ત ફેફસા પર અસર નથી કરતી. આ બિમારી લિવર, કિડની, હૃદય, મગજ, પ્રજનન અંગ વગેરે પર પણ પ્રભાવ છોડે છે. એ વાત પણ સાબિત થઈ ગઈ છે કે કોવિડ-10થી ડાયાબિટીઝ અને જાડાપણું પણ વધી શકે છે.
ચેનની સ્ટડીમાં એ વાત સ્પષ્ટ રીતે સાબિત થઈ ગઈ છે કે પેન્ક્રીયાઝના બિટા કોષ કોરોના વાયરસની પકડમાં સરળતાથી આવી જાય છે. પેન્ક્રીયાઝનું કામ ભોજન પચાવવા માટે પુરતી માત્રામાં રસાયણ છોડવાનું છે. ત્યાંજ બીટા કોષો હોય છે જે ઈંસુલિન બનાવે છે. તે જ હોર્મોન લોહીની અંદર શુગરના કણોને સંતુલિત રાખે છે. જેથી જરૂરીયાત પડવા પર તે શુગર કણોને ઉર્જા આપવામાં ફેરવી શકાય. આ તપાસ ચેન અને જેકસને લેબમાં કરી. ત્યાર બાદ તેમને સત્ય સુધી પહોંચવા માટે કંઈક અલગ કરવું પડ્યું.
ચેન અને જેકસને કોવિડ-19થી મૃત્યુ પામનાર અમુક લોકોના શરીરની અટોપ્સી કરી. જેમાંથી જાણવા મળ્યું કે આ મૃત્યુ પામેલા લોકોના પેન્ક્રીયાઝમાં કોરોના વાયરસ હાજર છે. પરંતુ ચોંકાવનારી વાત એ હતી કે આખરે ફેફસાને સંક્રમિત કરનાર કોરોના વાયરસ કઈ રીતે પેન્ક્રીયાઝ સુધી પહોંચી ગયા? જ્યારે માણસને નિમોનિયા થાય છે ત્યારે તેના ફેફસાનો નિચેનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. એટલે કે ત્યાંની ટિશ્યૂ તૂટી જાય છે. જેના કારણે વાયરસ ફેફસામાં લીક કરીને શરીરના નિચલા ભાગમાં હાજર અંગો સુધી લોહીની નસો દ્વારા પહોંચી જાય છે.
ફેફસા સિવાય શરીરના અન્ય ભાગોમાં પહોંચે કોરોના તો શું થાય છે?
પીટર જેકસન કહે છે કે એક વખત આ વાયરસ ફેફસામાંથી નિકળીને લોહીની નસો દ્વારા શરીરના અન્ય ભાગોમાં પહોંચી જાય તો સમજી લો કે બરબાદી થવાની શરૂ થઈ જશે. આ પેન્ક્રીયાઝ, મગજ અને કિડનીને ખરાબ કરી શકે છે. જો કોઈ વ્યક્તિના આંતરડાંમાં સ્વસ્થ બેક્ટેરિયા નથી તો આ વાયરસ તેના આંતરડાં પણ સંપૂર્ણ રીતે પ્રભાવિત કરી શકે છે. જો સ્વસ્થ બેક્ટેરિયા છે તો આ કોરોના વાયરસથી સંધર્ષ કરીને તેના હુમલાને કમજો કરી દે છે. હવે સવાલ એ ઉઠે છે કે આખરે કોરોના વાયરસ મનુષ્યોની ઉપજને ખતમ કરી શકે છે?
જ્યારે કોરોના વાયરસ પેન્ક્રીયાઝના બીટા કોષ પર હુમલો કરે છે ત્યારે એ કોષિકાઓવે ખતમ કરી નાખે છે. આ પ્રક્રિયાને એપોપટોસિસ કહે છે. આ પ્રક્રિયા જેનેટિકલી પ્રોગ્રામ્ડ સેલ્ફ ડિસ્ટ્રક્શન સિક્વેન્સ હોય છે. જેવું કોરોના વાયરસ હુમલો કરે છે તેનાથી ઘાયલ બીટા કોશિકાઓ સેલ્ફ ડિસ્ટ્રક્શનને એક્ટીવેટ કરી દે છે. જેનાથી બધી બીટા કોષિકાઓ મરવા લાગે છે. તેના મરવાના કારણે ઈસુલિનનું ઉત્પાદન શરીરમાં બંધ થઈ જાય છે.
ચેનની સ્ટડીમાં એ વાત સામે આવી છે કે અમુક બીટા કોષિકાઓ ટ્રાંસડિફરેન્સિએશનની પ્રક્રિયામાં જતી રહે છે. એટલે કે કોષિકાઓ પોતાને અન્ય પ્રકારની કોષિકોઓમાં ફેરવી દે છે. જેનાથી ઈંસુલિનનું ઉત્પાદન નથી કરી શકતી. એટલે કે અમુક બીટા કોષિકાઓ પોતાને બદલી દે છે. અને અમુક પોતાને ખતમ કરી નાખે છે. બન્ને સ્થિતિઓમાં ઈસુલિનનું ઉત્પાદન શરીરમાં બંધ થઈ જાય છે. તેના કારણે ટાઈપ-1 ડાયાબિટીઝ થવાનો ખતરો વધી જાય છે.
શું છે ટાઈપ-1 ડાયાબિટીઝ ?
ટાઈપ-1, ટાઈપ-2 ડાયાબિટીઝ સામાન્ય બિમારી છે. જેના થયા બાદ મનુષ્યને દરરોજે ઈંસુલિનનું ઈન્જેક્શન લેવું પડે છે. કારણ કે તેમના શરીરમાં ઈંસુલિન બનવાનું બંધ થઈ જાય છે. ત્યાં જ ટાઈપ-2 ડાયાબિટીઝ ત્યારે થાય છે જ્યારે શરીરમાં બનતા ઈંસુલિન પ્રભાવી નથી રહેતા. ટાઈપ-2 ડાયાબિટીઝથી સંક્રમિત લોકોને ભોજનમાં ફેરફાર કરવા અને વ્યાયામ કરવા અને અમુક દવાઓ આપીને સારવાર કરવામાં આવી શકે છે. એક રિપોર્ટ અનુસાર 2020માં 3.42 કરોડ અમેરિકી લોકોને ડાયાબિટીઝની ફરિયાદ છે. હવે મુદ્દો એ છે કોવિડ-19થી થતી ડાયાબિટીઝની સમસ્યાની સારવાર કઈ રીતે કરવામાં આવે?
કોરોના બાદની ડાયાબિટીઝથી બચવા શું કરી શકાય?
આ સ્ટડીમાં ચેન અને જેકસનને જણાવ્યું કે કોરોનાથી થતી ડાયાબિટીઝની સારવાર માટે ટ્રાન્સ-આઈએસઆરઆઈબીની મદદ લઈ શકાય છે. આ બીટા કોષિકાઓને તેનું અસ્તિત્વ ખતમ કરવાથી રોકે છે. સાથે જ તેમની ઈંસુલિન પેદા કરવાની ક્ષમતાને વધારે છે. trans-ISRIBનો મતલબ થાય છે કે ઈંટીગ્રેટેડ સ્ટ્રેસ રેસપોન્સ ઈન્હિબિટર. તેને વર્ષ 2013માં શોધવામાં આવ્યું હતું. તે ખરાબ સમયમાં કોષિકાઓને તેમના અસ્તિત્વને ખોવાથી રોકે છે. જેનાથી બીટા કોષિકાઓ એપોપટોસિસની પ્રક્રિયાથી બચી જાય છે.
ચેને જણાવ્યું કે તેમાં એક જ મુશ્કેલી છે કે trans-ISRIBને અમેરિકાના FDAએ હજુ મનુષ્યો પર તેના ઉપયોગને મંજૂરી નથી આપી. પરંતુ અમારી સ્ટડીમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે કોરોના વાયરસથી સંક્રમિત લોકોને ડાયબિટીઝથી બચાવી શકાય છે. સાથે જ એ ફાયદો થઈ શકે છે કે દુનિયાભરના વૈજ્ઞાનિકો અને રિસર્ચર એપોપટોસિસને રોકવા માટે trans-ISRIB પર બીજા પણ અભ્યાસ કરી શકે છે. જેથી ભવિષ્યમાં કોરોના સંક્રમણ સમયે મનુષ્યોને ડાયાબિટીઝથી બચાવી શકાય.
પેન્ક્રીયાઝ પર હુમલો કરતો એક માત્ર વાયરસ છે કોરોના
ચેને જણાવ્યું કે કોરોના વાયરસ એક માત્ર એવો વાયરસ છે કે જે પેન્ક્રીયાઝ પર હુમલો કરે છે. આ ઉપરાંત Coxsackievirus B, rotavirus, mumps virus અને cytomegalovirus પણ આ કામ કરે છે. આ વાયરસ પણ પેન્ક્રીયાઝની બીટા કોષિકાઓને નિષ્ક્રિય અથવા ખતમ કરવાનું કામ કરે છે. જોકે આ સીધી રીતે ટાઈપ-1 ડાયાબિટીઝની સમસ્યા ઉભી કરે છે કે નહીં તેના પર હજુ સુધી વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ આ પેન્ક્રીયાઝ પર અસર કરે છે. એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે.
રીતા કલ્યાણીએ જણાવ્યું કે કોરોના સંક્રમણ અને પેન્ક્રીયાઝ પર થતી તેની અસરની વચ્ચે જરૂરી છે કે લોકો જેટલી જલ્દી થઈ શકે વેક્સિન લઈ લે. જે લોકોને પહેલા કોરોના સંક્રમણ થઈ ચુક્યું છે અથવા તેમને ડાયાબિટીઝ છે તે તેની જાણકારી પહેલા જ પોતાના ડોક્ટરને જણાવે. જેથી સંક્રમણ વખતે જો હાઈપગ્લાઈસીમિયાના લક્ષણ દેખાય તો તરત તેની સારવાર કરી શકાય. હાઈપરગ્લાઈસીમિયા થવા પર વારંવાર પેશાબ આવે છે. વધારે તરસ લાગે છે. આંખોની સામે ધુંધળું દેખા છે. સાથે જ વજન ઓછુ થઈ જાય છે.
રિયા કલ્યાણી કહે છે કે ચેન અને જેકસનની સ્ટડીમાં એ વાત જાણવા મળી છે કે દુનિયાભરના વૈજ્ઞાનિકો અને સંશોધકો કોવિડ-19 વાયરસ પર વધારે અભ્યાસ કરવાની જરૂર છે. જેથી સંક્રમણ બાદની મુશ્કેલીઓ ખતમ કરી શકાય અથવા તેની સારવાર કરવામાં આવી શકે.