રિસર્ચર્સે કોવિડ-19ને રોકવા માટે માસ્ક પહેરવા કે ન પહેરવાની ભૂમિકાઓની તુલના કરી હતી. આ સંદર્ભમાં સમીક્ષાનાં લેખકે કહ્યું કે સમુદાયો દ્વારા માસ્ક પહેરવાથી સંભવત: સામાન્ય કે બિલકુલ ફરક નથી પડ્યો...
રિસર્ચર્સે કોવિડ-19માં માસ્કની ભૂમિકા પર કરી રિસર્ચ
હજારો લોકોનું એનાલિઝીઝ કરી આપી માહિતી
અલગ પ્રકારનાં માસ્કની વચ્ચેનાં તફાવત અંગે પણ આપી માહિતી
કોરોના વાયરસ અને તેનાથી થનારાં કોવિડ-19ને હવે આશરે 3 વર્ષ થઈ ગયાં છે અને હજુ પણ આ વાયરસનો સંપૂર્ણત: નાશ થયો નથી. ત્યારે સેંટર્સ ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને શરૂઆતી સમયમાં દાવો કર્યો હતો કે ફેસ માસ્ક જરૂરી નથી પરંતુ એપ્રિલ 2022માં તેમણે લોકોને માસ્ક પહેરવાનું સૂચન આપવાનું શરૂ કરી દીધેલ હતું.
12 રિસર્ચરોએ કરી સમીક્ષા
કોવિડ-19 સામે લોકો માસ્ક પહેરે છે અને વારંવાર હાથ ધોવે છે ત્યારે શું આ બધું કરવાથી કંઈ ફરક પડે છે ખરો? હવે દુનિયાભરનાં વિખ્યાત વિશ્વવિદ્યાલયોનાં 12 રિસર્ચરોનાં નેતૃત્વમાં કરવામાં આવેલી સમીક્ષા બાદ કહેવામાં આવ્યું છે કે કોવિડ-19નાં ફેલાવને રોકવા માસ્કની ભૂમિકા મામૂલી અથવા બિલકૂલ નથી રહી...
કોવિડ 19 સામે કરવામાં આવી વધુ એક રિસર્ચ
સમીક્ષાને કોચરેન લાઈબ્રેરીમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે અને તેના અંતર્ગત તપાસ માટે 78 નિયંત્રિત ટ્રાયલ કરવામાં આવ્યાં કે શું ફેસ માસ્ક પહેરવું અને હાથોને ધોતા રહેવાથી કોરોનાવાયરસનો ફેલાવો રોકી કે ઓછો કરી શકાય છે? રિપોર્ટ અનુસાર કોચરેન સમીક્ષાઓને દુનિયાભરમાં એવિડેન્સ બેસ્ડ મેડિસિનનો શાનદાર માનક માનવામાં આવે છે.
'અલગ-અલગ માસ્ક વચ્ચે પણ કોઈ તફાવત નથી...'
અધ્યયનમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મેડિકલ/ સર્જિકલ માસ્ક N95ની વચ્ચે કોઈ વધુ ફરક નથી. અધ્યયનમાં જાણવા મળ્યું કે N95/P2 રેસ્પિરેટર પહેરવાથી સંભવત: કોઈ ફરક પડતો નથી અથવા સામાન્ય ફરક પડે છે તો કેટલાક લોકોમાં ફ્લૂની પણ પુષ્ટિ કરવામાં આવી છે અને આ ફરક પણ એવો છે કે કેટલાય લોકો ફ્લૂ જેવી બીમારીથી પીડિત થયાં કે શ્વાસ સંબંધિત બીમારીથી પીડિત થયાં હતાં.