દેશમાં કોરોનાની વેક્સીન અને દવા વિકસિત કરવાની સાથે અનેક શોધ પણ થઈ રહી છે. આ ક્રમમાં એક શોધમાં દાવો કરાયો છે કે કોરોના સંક્રમણના લક્ષણો વિનાના દર્દીમાં કોરોના વાયરસ તરફ નબળી રોગ પ્રતિરોધક પ્રતિક્રિયા જોવા મળી શકે છે. નેચર મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયેલા એક શોધમાં જણાવાયું છે કે કોરોના વાયરસથી સંક્રમિત 37 લક્ષણો વિનાના દર્દીઓના ક્લીનિકલ અને રોગ પ્રતિરોધી બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
દેશમાં કોરોના સંકટ યથાવત
લક્ષણો વિનાના દર્દીઓમાં પણ નબળી ઈમ્યુનિટી રિસ્પોન્સ શક્ય
લક્ષણો વિનાના દર્દીના શરીરમાં વાયરસ સતત 19 દિવસ સુધી રહે છે
હવે લક્ષણો વિનાના દર્દીઓમાં પણ નબળી ઈમ્યુનિટી રિસ્પોન્સ શક્ય
નેચર મેડિસિન નામના જર્નલમાં પ્રકાશિત એક શોધમાં કોરોના વાયરસથી સંક્રમિત 37 લક્ષણો વિનાના દર્દીના ક્લીનિકલ અને રોગ પ્રતિરોધાત્મક બાબતોનું નિરીક્ષણ કરાયું છે. તેમાં કહેવાયું છે કે લક્ષણો વિનાના દર્દીના શરીરમાં વાયરસ સતત 19 દિવસ સુધી રહે છે. જ્યારે કોરોનાના લક્ષણ વાળા 37 અન્ય લોકો પર પણ શોધ કરવામાં આવી છે. તેમાં કહેવાયું છે કે તે સતત 14 દિવસ સુધી રહે છે.
સંક્રમિત દર્દીઓને રહે છે આ ફરિયાદ
ચીનમાં ચોંગકિંગ મેડિકલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના અનુસાર SARS-CoV-2થી સંક્રમિત લોકો તાવ, ખાંસી અને શ્વાસની તકલીફ સહિત શ્વાસની ગંભીર બીમારીનો સામાન્ય અનુભવ કરે છે જે કોરોના વાયરસના સંપર્કમાં આવવાના 2થી 14 દિવસ બાદ જોવા મળે છે.
તેઓએ કહ્યું કે કોરોના વાયરસથી સંક્રમિત મળેલા મોટાભાગના લોકો એવા છે જેમનામાં સામાન્ય લક્ષણો હતા અથવા તો લક્ષણ જ ન હતા. શોધમાં કહેવાયું છે કે 10 એપ્રિલ 2020થી પહેલાં ચીનના વાનઝોઉ જિલ્લામાં SARS-CoV-2થી સંક્રમિત મળેલા 37 લક્ષણો વિનાના લોકોને સામેલ કરાયા, તેમાં 22 મહિલા અને 15 પુરુષ હતા. તેમની ઉંમર 8-75 વર્ષની વચ્ચે હતી.
આ પહેલાં પણ કોરોના વાયરસ સંક્રમણને લઈને થયેલી શોધમાં એ વાત સામે આવી છે કે સંક્રમણના લગભગ 45 ટકા કેસ એવા હતા જેમનામાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. આ પ્રકારનું સંક્રમણ લોકોના શરીરને અંદરથી નુકસાન કરે છે.
અમેરિકાના સ્ક્રિપ્સ રિસર્ચ ટોન્સલેશનલ ઈન્સ્ટીટ્યૂટના એરિક ટોપોલ સહિત અનેક વૈજ્ઞાનિકોએ નોવેલ કોરોના વાયરસના લક્ષણો વિનાના દર્દીના આંકની સમીક્ષા કરી છે. જેમાંથી કુલ દર્દીના 40-45 ટકા દર્દીઓ કોઈ લક્ષણો વિનાના હતા અને સંક્રમણ ફેલાવવામાં તેમની ભૂમિકા મુખ્ય રહી હતી.