સૌરાષ્ટ્ર યૂનિ. નવા અભ્યાસક્રમનું માળખું ઘડી રહી છે જેમાં વિદ્યાર્થીઓને રામચરિતમાનસ અને ભગવદ્દગીતાના બંને ધાર્મિક પુસ્તકોના પ્રસંગોને અભ્યાસક્રમમાં પાઠ તરીકે ઉમેરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યૂનિ. ઘડી રહી છે નવો અભ્યાસક્રમ
રામચરિત માનસ-ભગવદ ગીતાના પાઠ ભણાવશે
આગામી સત્રથી અભ્યાસક્રમ બની શકે છે અમલી
દીપાવલીના તહેવારો પહેલા સુધી સૌરાષ્ટ્ર યૂનિવર્સીટી ભલામણની ભરતી વાળા વિવાદમાં સપડાઈ હતી. આખો મામલો રાજ્યમાં મહિના પહેલા જ બનેલી સરકારના દ્વારે પહોચ્યો હતો અને ઘડિયા નિર્ણયમાં એક કમિટી તાબડતોબ સૌરાષ્ટ્ર યૂનિવર્સીટી પહોચી હતી.હજુ આ વિવાદની શાહી નહોતી સુકાઈ ત્યાં વડોદરાની મહારાજા સયાજીરાવ યૂનિ.માં પણ સૌરાષ્ટ્ર યૂનિ. જેવો ભ્રષ્ટ્રાચાર બહાર આવ્યો હતો. એક તબક્કે,મોરારી બાપુએ પણ રાજકોટના એક કાર્યક્રમમાં આવતા પહેલા પૂછવું પડ્યું હતું કે, 'અવાય એવું તો છે ને' ? જોવાની વાત એ છે કે, સૌરાષ્ટ્ર યૂનિ. નવા અભ્યાસક્રમનું માળખું ઘડી રહી છે જેમાં વિદ્યાર્થીઓને રામચરિતમાનસ અને ભગવદ્દગીતાના બંને ધાર્મિક પુસ્તકોના પ્રસંગોને અભ્યાસક્રમમાં પાઠ તરીકે ઉમેરવામાં આવશે.
સંસ્કૃતિ અને સંસ્કાર સિંચનનો આશય
હાલ નવી શિક્ષણ નીતિને અમલ કરવાની કામગીરી ચાલી રહી છે. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ સક્રિય થઇ છે. ડિસેમ્બર સુધીમાં નવો અભ્યાસક્રમ ઘડવાની કામગીરી પૂરી થઇ જશે. ત્યારે યુનિવર્સિટી દ્વારા આર્ટસના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લેવાયો છે. જેમાં અભ્યાસ ક્રમમાં ભગવદ્ ગીતા અને રામચરિત માનસને સમાવવામાં આવશે. આજની યુવા પેઢીમાં હિન્દુ સંસ્કૃતિનું સિંચન થાય એ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે આવતા સત્રથી રામચરિત માનસ અને ભગવદ્દગીતાના બંને ધાર્મિક પુસ્તકોના પ્રસંગોને અભ્યાસક્રમમાં પાઠ તરીકે ઉમેરવામાં આવશે. આ માટે યુનિવર્સિટી દ્વારા ખાસ કમિટીની રચના પણ કરવામાં આવી છે. જે કમિટી અભ્યાસક્રમ તૈયાર કરશે.