મધ્યપ્રદેશથી એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ બુરહાનપુરના ઇન્દોર-ઇચ્છાવર રોડ પર આઇસર ટ્રકે એક ઓટોને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ તરફ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. હાલ પોલીસે તમામના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
મધ્યપ્રદેશના બુરહાનપુરના ઈન્દોર-ઈચ્છાવર માર્ગ પર મંગળવારે સવારે એક ફુલ સ્પીડમાં આવી રહેલા આઇસર ટ્રકે સામેથી આવી રહેલા ઓટોને ટક્કર મારી હતી. આ ટક્કર બાદ ઓટો ધડાકાભેર ઉડી ગઈ હતી. આ તરફ આઈસરને પણ ભારે નુકસાન થયું હતું. આ દર્દનાક ઘટના બાદ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ ચોકીના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં બે છોકરીઓ અને ઓટો ચાલકના મોત થયા છે, જ્યારે લગભગ એક ડઝન વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે, મૃતકોમાં શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બાંભડા ગામની 19 વર્ષીય પૂજા રવિન્દ્ર, વિદ્યા અને 40 વર્ષીય ઓટો ડ્રાઈવર દિનેશ મહાજન સામેલ છે.
2 students and van driver killed, 7 students injured in road accident in Madhya Pradesh's Burhanpur district: Police
નોંધનીય છે કે, ઈન્દોર અકસ્માતના મૃતકોમાં 2 યુવતીઓ અને ઓટો ચાલકનો સમાવેશ થાય છે. મૃતકો કોલેજના વિદ્યાર્થીઓ હતા અને ઓટોમાં સ્વામી વિવેકાનંદ કોલેજ જઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઓટોમાંથી એક પછી એક મૃતદેહોને બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે બુરહાનપુર જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા. ઘાયલોને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં રૂપાલી, પ્રાંજલ, વૈષ્ણવી, પાયલ, યુસુફ, જમીલ , નઇમ, નિઝામ, આસિફ, રાહુલ, અસલમ, ભાવના, આરતી, આસિફ અને મોનિકા નામના વ્યક્તિઓ ઘાયલ થયા છે.
बुरहानपुर में सड़क दुर्घटना में अनमोल जिंदगियों के असमय काल कवलित होने का अत्यंत दुखद समाचार प्राप्त हुआ।
ईश्वर से दिवंगत आत्माओं को अपने श्रीचरणों में स्थान और परिजनों को यह वज्रपात सहन करने की शक्ति देने की प्रार्थना करता हूं। विनम्र श्रद्धांजलि!
દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક મદદ માટે નિર્દેશ આપવાનું આશ્વાસન આપ્યું હતું અને ઘાયલોની યોગ્ય સારવાર માટે સૂચના આપી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવા અને ગંભીર રીતે ઘાયલ નાગરિકોને સહાય મંજૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. અકસ્માતમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ અને નાગરિકોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.