બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતના વિદ્યાર્થીઓ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો કરશે અભ્યાસ, GCERTએ આપી સૂચના
Last Updated: 12:18 AM, 22 June 2025
છેલ્લા ઘણા સમયથી શ્રીમદ્ ભગવદ્ ગીતાને શાળાના અભ્યાસક્રમમાં સમાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ દરમિયાન આ બાબતે મહત્વનો નિર્ણય જીસીઇઆરટીએ જાહેર કર્યો હતો. જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવનાર છે. જેનો વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે.
ADVERTISEMENT
મુલ્યો અને સિદ્ધાંતો ભાગનો અભ્યાસ
વધુ મળતી માહિતી મુજબ વર્ષ 2025-26માં શિક્ષણ માટે સૂચનો આપવામાં આવ્યા હતા. જેમાં ધોરણ 6 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાના મુલ્યો અને સિદ્ધાંતો ભાગનો અભ્યાસ કરવામાં આવશે. તથા ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતાના મુલ્યો અને સિદ્ધાંતોના ભાગનો અભ્યાસ કરાવવામાં આવનાર છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : BRTS બસની અંદર બેઠેલા મુસાફરને ખોલવી પડી છત્રી, જોત જોતામાં વાયરલ થઇ ગયો વીડિયો
જોકે સર્વાંગી વિકાસના 5 પીરીયડમાં સપ્તાહે 1 પીરીયડ ભારતીય જ્ઞાન પ્રણાલીનો રહેશે તેની પણ માહિતી સામે આવી છે. ત્યારે આ બાબતે તમામ જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓને જીસીઆરટી દ્વારા પત્ર લખીને સૂચના આપવામાં આવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.