જે વિદ્યાર્થીઓના ધોરણ 10 અને 12મીમાં હાજરી 75 ટકાથી ઓછી છે તેમને બોર્ડની પરીક્ષામાં બેસવાની પરમિશન આપવામાં આવશે નહીં. CBSEએ આ નોટિસ પાઠવી છે.
CBSEએ જાહેર કર્યો નિયમ
75 ટકાથી ઓછી હાજરી વાળા વિદ્યાર્થીઓ નહીં આપી શકે પરીક્ષા
જાણો ક્યારથી શરૂ થઈ રહી છે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા
ધોરણ 10 અને 12ની પરીક્ષા નજીક આવી રહી છે એવામાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE)એ નોટિસ જાહેર કરીને શાળાઓને જણાવ્યું છે કે આ વર્ષે જાન્યુઆરી 2020ની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓમાં હાજર રહેનારા વિર્દ્યાર્થીઓની હાજરી ગણવામાં આવે. જે વિર્દ્યાર્થીઓની હાજરી 75 ટકાથી ઓછી આંકવામાં આવશે. નિયમ અનુસાર પરીક્ષામાં સામેલ થવાની પરમિશન આપવામાં આવશે નહીં.
અંતિમ નિર્ણય 7 જાન્યુઆરી કે તેનાથી પહેલાં લેવાશે
ઉલ્લેખનીય છે કે સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને એડમિટ કાર્ડ ફક્ત એ વિદ્યાર્થીઓને માટે બનાવવામાં આવ્યા છે જેમની હાજરી 75 ટકા કે તેનાથી વધારે છે. ઓછી હાજરીના ઉમેદવારોનું લિસ્ટ રીજનલ ઓફિસ સુધી પહોંચશે અને અંતિમ નિર્ણય 7 જાન્યુઆરી કે તેનાથી પહેલાં લેવામાં આવશે.
વિર્દ્યાર્થી હાજર નહીં હોય તો તેનું કારણ નક્કી સમયમાં આપવાનું રહેશે
જો કોઈ ઉમેદવારની હાજરીના અભાવ પાછળનું વાસ્તવિક કારણ હોય, તો તેમણે 7 જાન્યુઆરી સુધીમાં જરૂરી દસ્તાવેજો અધિકારીઓ સમક્ષ રજૂ કરવા પડશે. નોટિસ મુજબ, અંતિમ મુદત પછી કોઈ કેસ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. વિદ્યાર્થી વર્ગમાં કેમ ન આવી શક્યો તેનું કારણ સમય મર્યાદામાં આપવું જોઈએ. પરીક્ષા પાસ કરવા માટે, ઉમેદવારોએ થિયરી અને પ્રેક્ટિકલ બંને પરીક્ષાઓ અલગથી પાસ કરવી પડશે. સીબીએસઇ માટે, ઉમેદવારોએ પાસ થવા માટે 33 ટકા ગુણ લાવવા પડશે.
ઉલ્લેખનીય છે કે CBSEની 10માના મેન પેપર્સની પરીક્ષા 26 ફેબ્રુઆરી 2020થી શરૂ થશે. આ પરીક્ષાઓ 18 માર્ચ 2020 સુધી ચાલશે. 12મી માર્ચના મુખ્ય વિષયોની પરીક્ષાઓ 22 ફેબ્રુઆરીથી શરૂ થશે. જે 30 માર્ચ 2020 સુધી ચાલશે. ગયા વર્ષે 10મા ધોરણની પરીક્ષા 7મી માર્ચથી શરૂ થઈ અને 29 માર્ચ 2019 સુધી ચાલી હતી.