વલસાડનાં પારનેરા ગામ ખાતે આવેલી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં ધોરણ 9ના વિદ્યાર્થી નિનવેશ વાઘમરીયાએ શાળાનાં કમ્પાઉન્ડમાં આવેલા ઝાડ પર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. એવું તો શું બન્યું કે કિશોર અવસ્થાએ નિનવેશે આત્મહત્યા કરી લીધી.
વલસાડમાં 14 વર્ષનાં કિશોરે આત્મહત્યા કરી
આપધાત પહેલા ક્લાસરૂમનાં બોર્ડ પર કિશોરે હાર્ડ દોરી I am Sorry લખ્યું
આપઘાતનાં સ્થળે અજાણી છોકરીનાં ચપ્પલ મળ્યાં
14 વર્ષનાં કિશોરે આત્મહત્યા કરી
ધરમપુરનાં પીપલવાડા ગામનામ ચોસપાડા ફળીયામાં 14 વર્ષીય નિનવેશ રસિકભાઈ વાઘમરીયા પરિવાર સાથે રહેતો હતો. નિનવેશ પારનેરા ગામ ખાતે આવેલી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 9માં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. ગઈ કાલે સવારે 8 વાગ્યે નિનવેશ કસરત ગ્રાઉન્ડ પર ગેરહાજર જણાતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
બોર્ડ પર કિશોરે I am Sorry લખ્યું હતું
નિનવેશની શોધખોળ દરમિયાન તેની લાશ મળી આવી હતી. કમ્પાઉન્ડમાં તેની લાશ કમ્પાઉન્ડમાં આવેલાં ઝાડ સાથે દોરી બાંધી લટકતી હાલતમાં મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઘટનાની તપાસ કરતા નિનવેશનાં ક્લાસરુમનાં નિનવેશ દ્વારા બ્લેક બોર્ડ પર આજની તારીખ અને સોરી લખવામાં આવ્યું હતું. જો કે, હાલ આપઘાત પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું નથી.
આપઘાતનાં સ્થળે યુવતીનાં ચપ્પલ મળ્યાં
ઉલ્લેખનીય છે કે આપઘાતનાં સ્થળ નજીક એક બાંકડા પાસે નિનવેશનાં ચપ્પલ મળી આવ્યાં છે. તેની સાથે એક છોકરીનાં પણ ચપ્પલ પણ મળી આવ્યાં છે. જ્યારે ક્લાસરુમનાં બ્લેક બોર્ડમાં લખાયેલા આઈ એમ સોરી પહેલા એક હાર્ટનું નિશાન પણ દોરવામાં આવ્યું છે. આ આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે પોલીસે હત્યાની શંકા અને પ્રેમ પ્રકરણ સહિતનાં મુદ્દા પર તપાસ હાથ ધરી છે.
સ્કુલમાં એક વર્ષ પણ નહોતું થયું
નિનવેશ વાધમારે ગત જૂન માસમાં જ ધોરણ 9માં અભ્યાસ અર્થે આવ્યો હતો. નિનવેશને સ્કૂલમાં હજુ એક વર્ષ પણ થયું નથી. સૂત્રોના જણાવ્યાનું સાર તે બહું શાંત, સરળ અને હસમુખો સ્વભાવ ધરાવનારો હતો.