એક ત્રણ વર્ષની માસુમને કોઈ હવસખોર પીંખી નાખે તો આક્રશોની આગ તો ફેલાવાની જ. આવું જ કાંઈક જમ્મૂ-કશ્મીરમાં જોવા મળ્યું. ઠેર-ઠેર વિરોધની અને આક્રોશની આગ તો જોવા મળી. પરંતુ કેટલાક લોકો આક્રોશની આગમાં પોતાની ઔકાત પણ બતાવી ગયા.
આ હૃદય કંપાવનારું વાક્ય કશ્મીરના બાંદીપુરાનું છે. જ્યાં એક ત્રણ વર્ષની માસૂમ બાળકીને હવસખોરે પીંખી નાખતા ધમાસાણ મચી ગયું છે. માસૂમ પર બળાત્કારની હૃદય કંપાવનારી આ ઘટના બાદ સમગ્ર જમ્મૂ-કશ્મીરમાં આક્રોશ છે. ઠેર-ઠેર પ્રદર્શનો થઈ રહ્યા છે.તો કેટલી જગ્યાઓ પર હિંસા પણ ફાટી નિકળી.
Jammu & Kashmir: Students and security forces clash at Amar Singh College in Srinagar during students' protest over Bandipora rape case. pic.twitter.com/ixsUtWWyAd
જેમાં 50 થી પણ વધુ સુરક્ષા કર્મીઓ અને પ્રદર્શનકારીએ ઘાયલ થયા છે. ન્યાયની માગણી સાથે રસ્તા પર ઉતરેલા લોકોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. જોકે પોલીસે આરોપીને ઝડપી પણ પાડ્યો છે. પરંતુ આક્રોશની આગ જાણે શાંત થવાનું નામ નથી લઈ રહી.
બાંદીપોરામાં વિદ્યાર્થીઓ પણ પ્રદર્શનમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. પરંતુ આ કેવા પ્રકારનો આક્રશો છે. અમને નથી લાગતું કે જે પ્રદર્શન કારીઓ સુરક્ષાદળના જવાનો પર બેફામ પથ્થરો વરસાવી રહ્યા છે, તોડફોડ કરી રહ્યા છે, તેમને બાળકી પર થયેલા બળાત્કારનું સહેજ પણ દુ:ખ છે.
કારણ કે, પોતાનો આક્રોશ ઠાલવવાનો આ કોઈ રસ્તો નથી. બાળકી પર બળાત્કારી ઘટના ગંભીર છે અને આવા પાપીને મોતની સજા જ થવી જોઈએ. દરેક ભારતીય તેવું ઈચ્છે છે. પરંતુ સવાલ એ છે કે, શું પથ્થરો વરસાવવાથી ન્યાય મળશે..?