ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.12, વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં આ વર્ષે રાજયમાં કુલ 34,800 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને છેલ્લા 10 વર્ષમાં ધો.12 સાયન્સની પૂરક પરીક્ષામાં પરીક્ષાર્થીઓની સંખ્યામાં 31,214નો જબ્બર વધારો થયો છે.
વર્ષ .2009 માર્ચમાં લેવાયેલી પરીક્ષામાં 3,586 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. તેની સામે આ વર્ષે 34,800 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જે છેલ્લા 10 જ વર્ષમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યામાં લગભગ 10 ગણી વધી છે.
અગાઉના વર્ષોમાં સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી. અને પૂરક પરીક્ષા એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે જ લેવાતી હતી. હવે આ વર્ષે બે વિષય સુધી નાપાસ થનારાની પૂરક પરીક્ષા લેવાની છે.
જો કે આ વર્ષે નાપાસ થનારા વિદ્યાર્થીની સંખ્યામાં ઘટાડો થઇ સંખ્યા 34,800 થઇ હતી જે અગાઉ 2018માં 36,372 હતી. આ વર્ષે નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને 34,800ના આંકને આંવી ગઇ છે. આમ, જુલાઈ માસમાં લેવાનારી પૂરક પરીક્ષામાં એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરશે તો આ વર્ષે જ કોલેજમાં પ્રવેશને લાયક ગણાશે અને કિંમતી વર્ષ બગડતું અટકશે.
છેલ્લા કેટલાક બોર્ડની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ ઘટયું છે. તેથી એક કે બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. બાકી વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે. આ ઉપરાંત એ અને બી ગ્રુપ કરી પરીક્ષા પદ્ધતિ સરળ કરતા હવે પ્રમાણમાં મધ્યમસરના વિદ્યાર્થીઓ પણ સાયન્સ રાખતા થતા નાપાસ થનારાની સંખ્યા વધી છે. વિજ્ઞાન પ્રવાહ રાખનારાની સંખ્યા વધી છે. વર્ષ વાર નાપાસ થનારાની સંખ્યા