હાલ કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે સ્કૂલો કોલેજો બંધ છે. ત્યારે હવે સ્કૂલ કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ શરૃ કરવાની તૈયારી શિક્ષણ વિભાગે બતાવી છે. આ અંગે શિક્ષણ વિભાગે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે.
15 જૂનથી ગુજરાતમાં શરૂ થશે ઓનલાઇન શિક્ષણ
8થી 13 જૂન સુધી પાઠ્યપુસ્તકનું વિતરણ કરાશે
સરકાર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્ર પ્રમાણે આગામી 15 જૂનથી રાજ્યમાં ઓનલાઇન શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવશે. ત્યારે આ અંગે શાળા સંચાલકોએ તૈયારીઓ હાથ ધરી છે.
શિક્ષણ સંઘના પ્રમુખનું નિવેદન
ઉલ્લેખનીય છે કે, કોરોનાના કહેર વચ્ચે રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાને લઈને પરિપત્ર જાહેર કર્યો છે.. ત્યારે હવે આ મામલે રાજ્ય શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ નિવેદન આપ્યુ છે કે, શિક્ષણ મંત્રી-સચિવ સાથે બેઠક યોજાઈ હતી.. આ બેઠકમાં પહેલા ધોરણમાં પ્રવેશ માટે પ્રક્રિયા માટેનો નિર્ણય કરાયો છે.
8થી 13 જૂન સુધી પાઠ્યપુસ્તકનું વિતરણ કરાશે
રાજ્ય શિક્ષણ સંઘના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, 8થી 13 જૂન સુધી પાઠ્યપુસ્તકનું વિતરણ કરાશે. ધો-1થી 8ના વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકનું વિતરણ કરાશે. ઘરેથી અભ્યાસ માટે માહિતી પુરી પાડવામાં આવશે. 15 જૂનથી ઓનલાઈન શિક્ષણ માટે તંત્રની તૈયારીઓ કરવામાં આવી છે.. બાળકોને શાળાએ બોલાવવા અંગે જૂલાઇમાં નિર્ણય કરાશે.