બિહારમાં ભરતી વિવાદને લઈને વિદ્યાર્થીઓએ આજે રસ્તા પર ચક્કાજામ કર્યું. સાથેજ વિપક્ષ પણ આ આંદોલનમાં શામેલ થયું જેમા રોડ પર ટાયર સળગાવીને તેમણે રસ્તાઓ બ્લોક કર્યા હતા.
રેલ્વેમાં RRB અને NTPCની ભરતીની લઈને કેન્દ્ર સરકાર દ્વારા અરજદારોની માગને સ્વીકારી લેવામાં આવી છે. તેમ છતા પણ આજે બિહાર બંધનું આયોજન કરવામાં આવ્યું છે. પટના, ગયા, સમસ્તીપુર, મુજ્જફ્રપુર અને દરભંગા સહિત બિહારના મોટા શહેરોમાં સવારથી લોકો રસ્તો જામ કરી રહ્યા છે.
પટનામાં આરજેડીના કાર્યકર્તા રસ્તા પર ઉતર્યા
મોટા ભાગના શહેરોમાં પ્રદર્શનકારીઓ ટાયર સળગાવી નારેબાજી કરી રહ્યા છે. બીજી તરફ આ આંદોલનમાં વિપક્ષ પણ શામેલ થઈ ગયું છે. આરજેડી, જન અધિકાર પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તા પણ વિરોધ પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે. પટનામાં સવારથી આરજેડીના કાર્યકર્તાઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. જેમા તેમણે ટાયરો સળગાવીને રસ્તા બ્લોક કરી કાઢ્યા હતા.
Bihar: Protesters block roads in Patna in support of bandh called by various political parties over alleged discrepancies in RRB NTPC results pic.twitter.com/BKXMH3Kaxl
બીજી તરફ જન અધિકાર પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા પણ રસ્તા જામ કરી નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. ગાંધી સેતું પર પ્રદર્શનને કારણે લાંબો ટ્રાફીક જામ થઈ ગયો હતો. સવારના 7 વાગ્યાથી કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી ગયા અને તેમણે વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું જેમા સૌથી વધારે મુશ્કેલી વાહન ચાલકોને થઈ હતી.
ખાન સર દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી
જુદા જુદા જિલ્લાઓમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનને લઈને બિહારના પ્રખ્યાત કોંચિંગ ક્લાસના સંચાલક Khan sir દ્વારા એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો જેમા તેમણે અરજદારોને અપીલ કરી કે તેઓ કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શનમાં શામેલ ન થાય. કારણકે રેલ્વે દ્વારા અરજદારોની માગને સ્વીકારી લેવામાં આવી છે.
પ્રદર્શનમાં શામેલ ન થવાની આપી સલાહ
ખાન સર દ્વારા વીડિયો અપલોડ કરીને અરજદારોને પ્રદર્શનમાં શામેલ ન થવા માટે અપીલ કરવામાં આવી જેમા તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ માટે એક ખાસ સૂચના છે. તમારી બધીજ માંગ સ્વીકારી લેવામાં આવી છે. જેથી કોઈ પણ હિંસક પ્રદર્શનમાં ભાગ ન લેતા. કારણકે આ વસ્તુ તમારા માટે ખોટી સાબિત થઈ શકે છે.
રેલ મંત્રી બધી વાતથી સહમત: ખાન સર
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ખાન સરે એવું પણ કીઘું કે રેલ મંત્રી એ વાતને લઈને સહમત છે કે તેઓ 20 ટકા વધારે રિઝલ્ટ આપશે. NTPCની ભરતીમાં જે સમસ્યા હતી તે દૂર થઈ છે. ગ્રુપ ડી ના સીબીડીટી 2ને અચાનકથી જોડવામાં આવ્યા હતા જેમને હટાવી દેવામાં આવ્યા છે. સાથેજ તેમણે કહ્યું આ સમગ્ર મુદ્દે જ્યારે પીએમ મોદીએ દખલગીરી કરી ત્યારે જલ્દી નિર્ણય આવ્યો હતો.